શોધખોળ કરો
મોદી ખોડલધામમાં હાજરી આપશે તેવા અહેવાલ સામે મોદીને પાટીદારોના હત્યારા ગણાવીને હાર્દિકે શું આપી પ્રતિક્રિયા?
1/4

આનંદીબેન પટેલના રાજીનામા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે છેલ્લા બે મહિનામાં ચાર વખત ગુજરાતની મુલાકાત લીધી હતી. જ્યારે આવનાર દિવસોમાં હજુ મોદી ચાર વખત ગુજરાતની મુલાકાત લેશે, તેવા અહેવાલ છે. જોકે, આ અહેવાલને સત્તાવાર રીતે કોઈ સમર્થન અપાયું નથી.
2/4

હાર્દિકે તેના પાસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલ્યો છે અને મોદીને પાટીદાર યુવાનોના હત્યારા ગણાવીને સવાલ કર્યો છે કે પાટીદારો સમાજના યુવાનોનો હત્યારો પાટીદાર સમાજના કુળદેવતા ખોડલધામમાં આવશે. 'મા'ના પવિત્ર ધામમાં કેમ આવે ? હાર્દિકે એવો પણ મેસેજ લખ્યો છે કે વિરોધ જરૂરી છે કે નહીં આ વ્યક્તિનો?
Published at : 25 Oct 2016 10:54 AM (IST)
View More





















