અમદાવાદઃ શહેરના સાબરમતી ચીમનભાઈ બ્રિજ પર યુ ટર્ન લેવા જતાં બાઇકચાલકને ખાનગી બસે ટક્કર મારતાં બાઇક ચાલકનું મોત થયું છે. પાછળથી આવતી ખાનગી કંપનીની સ્ટાફ બસે ટક્કર મારતાં યુવકનું મોત થયું છે.
2/4
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. સાબરમતી સ્થિત શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા જોહ્ન વર્ગીસ આજે સવારે બાઇક લઈ આરટીઓ તરફથી ચીમનભાઈ પટેલ બ્રિજ પરથી સાબરમતી તરફ જઈ રહ્યા હતા. બ્રિજ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે યુ ટર્ન લેવા જતાં હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
3/4
પાછળથી આવતી બાયોટેક કંપનીની સ્ટાફ બસે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બસના ચાલકે બ્રેક મારી પણ તેઓ ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ જતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો.