શોધખોળ કરો
નવરાત્રિમાં આ વખતે ખેલૈયાઓને કેમ એક દિવસ વધારે ગરબે ઘૂમવા મળશે ? જાણો રસપ્રદ વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/25110709/813.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દસ નોરતાં હશે તેથી ખેલૈયા એક દિવસ વધારે ગરબે ઘૂમી શકશે. છેલ્લાં બે વરસથી નવરાત્રિ 8 જ દિવસની રહેતી તેથી ખેલૈયા નિરાશ થતા. આ વર્ષે એ કસર પૂરી થઈ જશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/25110709/813.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દસ નોરતાં હશે તેથી ખેલૈયા એક દિવસ વધારે ગરબે ઘૂમી શકશે. છેલ્લાં બે વરસથી નવરાત્રિ 8 જ દિવસની રહેતી તેથી ખેલૈયા નિરાશ થતા. આ વર્ષે એ કસર પૂરી થઈ જશે.
2/7
![જે લોકો નવરાત્રિ અનુષ્ઠાન કરતાં હોય અને કુળદેવીની પૂજા-ઉપાસના કરતાં હોય તેમણે પણ આ જ દિવસથી અનુષ્ઠાનનો પ્રારંભ કરવાનો રહેશે. સાથે જ જગદમ્બાની વિશેષ કૃપા માટે દરરોજ શક્રાદય સ્તુતિનું શ્રવણ પણ ઉત્તમ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/25110706/722.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે લોકો નવરાત્રિ અનુષ્ઠાન કરતાં હોય અને કુળદેવીની પૂજા-ઉપાસના કરતાં હોય તેમણે પણ આ જ દિવસથી અનુષ્ઠાનનો પ્રારંભ કરવાનો રહેશે. સાથે જ જગદમ્બાની વિશેષ કૃપા માટે દરરોજ શક્રાદય સ્તુતિનું શ્રવણ પણ ઉત્તમ છે.
3/7
![જ્યોતિષશાસ્ત્ર અનુસાર પહેલા નોરતા એટલે કે 1 ઓકટોબરના રોજ ઘટ સ્થાપન, જવારારોપણ, કુંભ સ્થાપના માટેનો ઉત્તમ સમય સવારે 8.11થી 9.27 કલાકનો છે. આ પહેલાં પણ પરંપરાગત રીતે બ્રાહ્મમુહૂર્તમાં સ્થાપન કરી શકાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/25110701/632.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પહેલા નોરતા એટલે કે 1 ઓકટોબરના રોજ ઘટ સ્થાપન, જવારારોપણ, કુંભ સ્થાપના માટેનો ઉત્તમ સમય સવારે 8.11થી 9.27 કલાકનો છે. આ પહેલાં પણ પરંપરાગત રીતે બ્રાહ્મમુહૂર્તમાં સ્થાપન કરી શકાય છે.
4/7
![આ નવરાત્રિ દરમિયાન 7 ઓકટોબરના રોજ ગુરુ ઉદય થઇ રહ્યો છે. તેના કારણે માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થશે. ગુરૂ ઉદય શુભ કાર્યો માટે ઉત્તમ ગણવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/25110657/546.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ નવરાત્રિ દરમિયાન 7 ઓકટોબરના રોજ ગુરુ ઉદય થઇ રહ્યો છે. તેના કારણે માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થશે. ગુરૂ ઉદય શુભ કાર્યો માટે ઉત્તમ ગણવામાં આવે છે.
5/7
![નવરાત્રિમાં એક દિવસ વધારે હશે તેથી અનુષ્ઠાન કરનારાઓને પણ એક દિવસ વધુ મળશે. ગત વર્ષે પણ બે એકમ હતી, પણ મહાઅષ્ટમી અને મહાનવમી સાથે હતા તેના કારણે નવ દિવસની જ નવરાત્રિ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/25110653/459.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રિમાં એક દિવસ વધારે હશે તેથી અનુષ્ઠાન કરનારાઓને પણ એક દિવસ વધુ મળશે. ગત વર્ષે પણ બે એકમ હતી, પણ મહાઅષ્ટમી અને મહાનવમી સાથે હતા તેના કારણે નવ દિવસની જ નવરાત્રિ હતી.
6/7
![આ વર્ષે બે એકમ છે પણ ઘટ સ્થાપના, જવારારોપણ વગેરે પ્રથમ પ્રતિપદાએ એટલે કે 1 ઓકટોબર, 2016ના રોજ જ કરવાનું રહેશે. 10 ઓકટોબરના રોજ નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. 11 ઓકટોબરના રોજ વિજયાદશમી-દશેરાની ઉજવણી કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/25110650/369.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષે બે એકમ છે પણ ઘટ સ્થાપના, જવારારોપણ વગેરે પ્રથમ પ્રતિપદાએ એટલે કે 1 ઓકટોબર, 2016ના રોજ જ કરવાનું રહેશે. 10 ઓકટોબરના રોજ નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. 11 ઓકટોબરના રોજ વિજયાદશમી-દશેરાની ઉજવણી કરવામાં આવશે.
7/7
![આ વખતે વિક્રમ સંવત 2072ની નવરાત્રિ 10 દિવસની છે તેથી દસ દિવસનાં નોરતાં અને દશેરા મળીને કુલ અગિયાર દિવસ ગરબ રમી શકાશે. જયોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે બે એકમ આવે છે અને તેના કારણે દસ નોરતાં છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/25110646/179.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે વિક્રમ સંવત 2072ની નવરાત્રિ 10 દિવસની છે તેથી દસ દિવસનાં નોરતાં અને દશેરા મળીને કુલ અગિયાર દિવસ ગરબ રમી શકાશે. જયોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે બે એકમ આવે છે અને તેના કારણે દસ નોરતાં છે
Published at : 25 Sep 2016 11:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)