શોધખોળ કરો
STમાં અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, હવે પાસ કઢાવવા નહીં ખાવા પડે ધક્કા
1/5

જોકે, આ સિસ્ટમ નવી છે અને જ્યાં સુધી શાળા-કોલેજ પાસ કાઢી આપવાની સિસ્ટમ નહીં અપનાવે ત્યાં સુધી એસ.ટી. આ કામગીરી ચાલુ રાખશે. એસ.ટી. વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે શાળા-કોલેજો તરફથી પાસ કાઢી આપવાની સિસ્ટમથી ૧૦ લાખ વિદ્યાર્થીઓને સરળતા થશે. એવી પણ માહિતી આપવામાં આવી છે કે, શાળા-કોલેજોમાંથી પાસ કાઢી આપવાની સિસ્ટમ અને એસ.ટી.નું ટાઇઅપ શરૂ થઇ ગયું છે.
2/5

આ સુવિધાને કારણે એસ.ટી.ની કામગીરી હળવી થશે. બીજી તરફ વિદ્યાર્થીઓને પોતાની જ શાળા કે કોલેજમાંથી પાસ મળતાં હોઇ હળવાશ મળશે. નોંધનીય છે કે, એન્જિનિયરિંગ, મેડિકલ, ડિપ્લોમા કે હાયર સેકન્ડરીમાં અભ્યાસ અર્થે હજારો વિદ્યાર્થીઓ તેમના ઘરથી આસપાસની કોલેજો કે શાળામાં ભણવા એસ.ટી.ના પાસનો ઉપયોગ કરે છે.
Published at : 22 Nov 2016 12:21 PM (IST)
Tags :
GSRTCView More





















