અમદાવાદ: શહેરના બાપુનગરમાં ભાજપ દ્વારા નર્મદા યાત્રા સંદર્ભે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અમદાવાદના પાસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવી આ ડાયરાનો વિરોધ કરતાં રાહુલ દેસાઇ, જયેશ પટેલ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને તેમને બાપુનગર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.