રાહુલે અમદાવાદમાં પણ કોઈ વીઆઈપી જેવાં નખરાં ના કરતાં સામાન્ય કાર્યકરો સાથે બેસીને ભોજન લીધું હતું. રાહુલે બપોરે ગુજરાતી દાળ, ભાત, સાદી રોટલી, શાક અને સલાડ ખાધાં હતાં. રીવરફ્રન્ટ પર સંવાદ કાર્યક્રમ પછી રાહુલ ગાંધીએ ગુજરાતના બિઝનેસમેન તથા નાના વેપારીઓ સાથે પ્રોફેશનલ મીટ કરી હતી.
2/5
રાહુલે બિઝનેસમેન તથા નાના વેપારીઓની તકલીફો પૂછી હતી. તેમના સૌજન્યશીલ વર્તનથી બધાં પ્રભાવિત થઈ ગયાં હતાં. આ કાર્યક્રમ પછી રાહુલ ગાંધીએ બિઝનેસમેન તથા વેપારીઓ સાથે બેસીને ચા પીધી હતી. આ ચા વી.એસ. હોસ્પિટલની કીટલી પરથી મંગાવાઈ હતી. રાહુલે ઓછી ખાંડવાળી ચા પીધી હતી.
3/5
અમદાવાદઃ સોમવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ તેમની સાદગીથી લોકોને પ્રભાવિત કર્યા હતા. સામાન્ય રીતે મોટા નેતાઓ ચાર્ટર્ડ પ્લેન લઈને આવે છે પણ રાહુલ ગાંધી રૂટીન ફ્લાઈટમાં જ અમદાવાદ આવ્યા હતા. પ્લેનમાં તેમણે સામાન્ય લોકો સાથે સંવાદ કર્યો હતો.
4/5
રાહુલે સોમવારે રિવરફ્રન્ટ પર કાર્યકરો સાથે સંવાદ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં. તેમણે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિકાસનું મોડલ સદંતર નિષ્ફળ નિવડયું છે. લોકોને ભાજપની સચ્ચાઇની ખબર પડી ગઈ છે અને ગુજરાતમાં ભાજપની હારનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે.
5/5
રાહુલ ગાંધીએ પ્રોફેશન્લસ-વેપારીઓ સાથેની બેઠકમાં બહુ રસ બતાવ્યો હતો. તેના કારણે નક્કી કરેલા કાર્યક્રમ કરતાં વધારે સમય પસાર થઈ જતાં રાહુલ ગાંધી પોતાની ફ્લાઈટ પણ ચૂકી ગયા હતા. રાહુલ પહેલાં 7.20 કલાકની દિલ્લીની ફ્લાઈટમાં જવાના હતા પણ તે ચૂકી જતાં છેવટે 8.30 વાગ્યાની ફ્લાઈટમાં ગયા હતા.