Dhanteras 2023: ધનતેરસના દિવસે કરો આ ઉપાય, નહી થાય અકાળે મૃત્યુ, શત્રુઓનો પણ થશે નાશ
ધનતેરસના દિવસે યમરાજને દીવો દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે.
![Dhanteras 2023: ધનતેરસના દિવસે કરો આ ઉપાય, નહી થાય અકાળે મૃત્યુ, શત્રુઓનો પણ થશે નાશ Dhanteras 2023: big, small business persons, merchants start new finance books for new year - Importance and how do they celebrate? Dhanteras 2023: ધનતેરસના દિવસે કરો આ ઉપાય, નહી થાય અકાળે મૃત્યુ, શત્રુઓનો પણ થશે નાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/04/308ee45e6d1a1f13de2f0f119354f3a21699080815024557_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ધનતેરસનો તહેવાર દિવાળી પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે અને તેમના ઘર માટે નવી વસ્તુઓ ખરીદે છે. પરંતુ એક એવું કામ છે જે આ દિવસે કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર, ધનતેરસના દિવસે યમરાજને દીવો દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે.
જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે, સ્કંદ પુરાણમાં પણ એક વર્ણન છે, જે મુજબ જો કાર્તિક પક્ષની ત્રયોદશીના પ્રદોષ કાળમાં યમરાજને દીવો અને નૈવેદ્ય અર્પિત કરવામાં આવે તો અકાળ મૃત્યુથી બચી શકાય છે. તેમણે જણાવ્યું કે પાંચ દિવસીય દિવાળીનો પહેલો દિવસ ધનતેરસથી શરૂ થાય છે અને આ દિવસે યમરાજને દીવો પણ દાન કરવામાં આવે છે. જ્યોતિષીએ જણાવ્યું કે આખા વર્ષમાં આ એકમાત્ર દિવસ છે જ્યારે મૃત્યુના દેવતા યમરાજની પૂજા દીવાનું દાન કરીને કરવામાં આવે છે. જો કે, કેટલાક લોકો નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશના દિવસે પણ દીવાઓનું દાન કરે છે.
જ્યોતિષીએ જણાવ્યું કે સ્કંદ પુરાણમાં અનેક શ્લોકોમાં આનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સાંજે ઘરની બહાર યમદેવને અર્પિત દીવો રાખવાથી અલ્પ મૃત્યુથી બચી શકાય છે. આ વાતનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કારતક માસની કૃષ્ણ પક્ષ ત્રયોદશીના દિવસે યમરાજ માટે ઘરની બહાર દીવો કરવાથી મૃત્યુનો નાશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે આ દિવસે લોકોએ ગાયના છાણનો દીવો કરવો, તેમાં સરસવનું તેલ નાખીને તેને ઘરમાં પ્રગટાવવો અને તેને ઘરથી દૂર લઈ જઈને કોઈ ગટર કે કચરાના ઢગલા પાસે દક્ષિણ તરફ મુખ કરીને રાખવો જોઈએ. આ પછી જળ પણ ચઢાવવું જોઈએ. તેમણે કહ્યું કે આ કામ સૂર્યાસ્ત પછી જ થાય છે અને પરિવારના બધા સભ્યો ઘરે આવે છે અને ખાધા-પીધા પછી સૂતા પહેલા જ થાય છે. આમ કરવાથી ભૂતપ્રેતનો પણ નાશ થાય છે અને લોકોમાંથી અલ્પ મૃત્યુનો ભય દૂર થાય છે. એવું પણ કહેવાય છે કે આમ કરવાથી દુશ્મનોનો પણ નાશ થાય છે.
જાણો યમરાજના દીપ દાનની કથા
જ્યોતિષીએ જણાવ્યું કે પુરાણોમાં વર્ણવેલ વાર્તા અનુસાર, એકવાર યમરાજે તેમના દૂતોને પૂછ્યું કે શું તેઓ જીવોના જીવ લેતી વખતે ક્યારેય કોઈ પર દયા અનુભવે છે? તો તેના દૂત બોલ્યા ના મહારાજ. જ્યારે યમરાજે ફરીથી પૂછ્યું તો તેમણે કહ્યું કે એક વખત આવી ઘટના બની હતી જેણે તેનું હૃદય હચમચાવી દીધું હતું. હેમ નામના રાજાની પત્નીએ જ્યારે પુત્રને જન્મ આપ્યો ત્યારે જ્યોતિષીઓએ નક્ષત્રોની ગણતરી કરી અને કહ્યું કે જ્યારે પણ બાળકના લગ્ન થશે ત્યારે ચાર દિવસમાં તેનું મૃત્યુ થશે. આ જાણીને રાજાએ બાળકને યમુના કિનારે એક ગુફામાં બ્રહ્મચારી તરીકે ઉછેર્યો.
જ્યોતિષીએ કહ્યું કે મહારાજ હંસની યુવાન પુત્રી યમુના કિનારે વિહરતી હતી. પછી તે બ્રહ્મચારી યુવક તે છોકરી તરફ આકર્ષાયો અને તેણે લગ્ન કરી લીધા. પરંતુ ચોથો દિવસ પૂરો થતાં જ રાજકુમાર મૃત્યુ પામ્યો. પતિનું મૃત્યુ થતા તેની પત્ની ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી. તે દિવસે તે પરિણીત છોકરીનો કરુણ વિલાપ સાંભળીને અમારું હૃદય કંપી ઊઠ્યું હતું.
યમદૂતોએ યમરાજને અકાળ મૃત્યુનો ઉપાય પૂછ્યો હતો.
યમદૂતોએ કહ્યું કે જ્યારે તેઓ રાજકુમારનો જીવ લઈ રહ્યા હતા ત્યારે તેમના આંસુ રોકાતા ન હતા. પછી એક યમદૂતે પૂછ્યું કે શું અકાળ મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી. આના પર યમરાજે કહ્યું, એક ઉપાય છે. અકાળ મૃત્યુથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ ધનતેરસના દિવસે યોગ્ય રીતે પૂજા અને દીવો દાન કરવો જોઈએ. જ્યાં આ પૂજા થાય છે ત્યાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. કહેવાય છે કે ત્યારથી ધનતેરસના દિવસે યમરાજની પૂજા કર્યા પછી દીવાનું દાન કરવાની પ્રથા પ્રચલિત થઈ ગઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)