શોધખોળ કરો

Diwali Vastu Tips: આ દિવાળી પર ઘરની સુખ સમૃદ્ધિ માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહી પડે પૈસાની તંગી

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે

Diwali Vastu Tips for money: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. દર વર્ષે દેશભરમાં દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023 રવિવારના રોજ છે.

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધનની દેવીના આશીર્વાદ મેળવવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરીને ઘરને સજાવવું ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને ઘરને સજાવવાથી દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે.

દિવાળી વાસ્તુ ટિપ્સ

દિવાળીના તહેવારને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા કરવાથી ધન, સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આવો જાણીએ આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા માટે વાસ્તુ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

ઘર સફાઇ

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જો તમારા ઘરમાં તૂટેલા વાસણો અને ફર્નિચર હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો અને ઘરના કોઈપણ ખૂણામાં કચરો જમા ન થવા દો. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જે ઘરમાં રહે છે ત્યાં સ્વચ્છતાનું મહત્તમ ધ્યાન રાખવામાં આવે છે.

પાણીમાં મીઠું ભેળવી

વાસ્તુ અનુસાર ઘરની નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવવા માટે પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરો અને તેનાથી દરરોજ પોતુ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

માટીનો દીવો

દિવાળી પર માટીના દીવા પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.  સવારે અને સાંજે કપૂર સળગાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ

ખાતરી કરો કે ઘરના દરેક ભાગમાં બધા બલ્બ યોગ્ય છે અને દિવાળી દરમિયાન ઘરના દરેક ખૂણાને પ્રકાશિત રાખો. આ મહાન તહેવાર પર ઘરના કોઈપણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ.

પાણીથી ભરેલું પાત્ર રાખો

વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ દરમિયાન ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીથી ભરેલું વાસણ રાખો. તમે સુશોભન માટે ફૂલોની પાંખડીઓ પણ ઉમેરી શકો છો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારના સભ્યોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.

રંગોળી

વાસ્તુ અનુસાર દીપોત્સવના પાંચ દિવસ દરમિયાન દરરોજ રંગોળી અવશ્ય બનાવવી. રંગોળી બનાવતી વખતે શ્રી બનાવવાનું ભૂલશો નહીં. તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
Embed widget