શોધખોળ કરો

હિન્દુ નવા વર્ષના રાજા થયા શનિ દેવ, આ ત્રણ રાશિના લોકો પર થશે ધનવર્ષા

નવ સંવત્સર 2079ની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે વૈદિક પંચાગ અનુસાર આ સંવત્સરનું નામ નલ છે અને તેના સ્વામી શુક્ર દેવ છે. દરેક હિન્દુ નવા વર્ષના પોતાના રાજા,મંત્રી અને મંત્રી મંડળ હોય છે.

નવ સંવત્સર 2079 શનિવાર એટલે કે 2 એપ્રિલથી તેની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે વૈદિક પંચાગ અનુસાર આ સંવત્સરનું નામ નલ છે અને તેના સ્વામી શુક્ર દેવ છે. હકિકતમાં દરેક હિન્દુ નવા વર્ષના પોતાના રાજા,મંત્રી અને મંત્રી મંડળ હોય છે. તો આ વખતે નવા વર્ષના રાજા શનિ અને મંત્રી ગુરુ છે. આ વર્ષે નવુ વર્ષ સંવત 2079ની શરૂઆત એવી દુર્લભ સંયોગમાં થઈ છે, જે 1500 વર્ષથી પછી બન્યો છે. તેથી આ નવા વર્ષનું મહત્વ વધુ વધી ગયુ છે. આવો જાણીએ કે આ સંવત્સર કઈ રાશિઓ માટે શુભ સાબિત થશે અને શનિ દેવ કઈ રાશિ પર પોતાની કૃપા વરસાવી શકે છે.

ધન રાશિ: આ નવું વર્ષ ધન રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ વર્ષના રાજા શનિદેવ છે અને 29 એપ્રિલે શનિનું કુંભ રાશિમાં ગોચર થતાં જ ધન રાશિના લોકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. આ સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકેલા કામો પૂર્ણ થશે. વેપારમાં મોટો ફાયદો થશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. આ ઉપરાંત, જો તમે નોકરી કરી રહ્યા છો, તો તમને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે.

મિથુન રાશિ: તમારા ઉપર શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે. કારણ કે જેવા શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, તેવી જ તમને શનિદેવની ઢૈયામાંથી મુક્તિ મળશે. સાથે જ તમને બિઝનેસ અને કરિયરમાં સારી સફળતા મળશે. નવા વ્યવસાયિક સંબંધો બનશે, તમારા વેપારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. તો બીજી તરફ, જે ડીલ ઘણા સમયથી અટકી પડી હતી તે ફાઇનલ થઈ શકે છે.

તુલા રાશિ: આ રાશિના જાતકોને પ્રગતિના નવા માર્ગો ખુલશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. જૂના રોગોથી છુટકારો મળશે. તમને વાહન અને મિલકતનું સુખ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં કોઈ યોજના સફળ થઈ શકે છે. આ ઉપરાંત શનિનું ગોચર થતાં જ તમને ઢૈયાના પ્રકોપથી પણ મુક્તિ મળી જશે. જેના કારણે તમને તમારા કરિયરમાં નવી તકો મળશે. વેપાર ધંધામાં પ્રગતિ થશે. શનિદેવ આ હિંદુ નવા વર્ષના રાજા છે અને તુલા રાશિમાં શુક્રનું શાસન છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ અને શુક્ર વચ્ચે મિત્રતાની ભાવના છે. તેથી, આ હિન્દુ નવું વર્ષ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget