શોધખોળ કરો

Monday Upay: સોમવારે શિવલિંગ પર ચઢાવો આ ચીજો, મહાદેવ થશે પ્રસન્ન

Monday Upay: સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે

Monday Shiv Puja:સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભોળાનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભોળાનાથ   છે અને તે ખૂબ જ સરળ ઉપાયોથી પણ જલ્દી ખુશ થઈ જાય છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પુરાણો અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.  

સોમવારે શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવો

સોમવારે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પછી શિવલિંગ પર ચંદન અને ભભૂત ચઢાવો. તેના પર બિલીપત્ર, ધતુરા અને શમીપત્ર ચઢાવવાથી શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

સોમવારે રુદ્રાભિષેક કરવો પણ ખૂબ જ શુભ છે. એવી માન્યતા છે કે ભગવાન શિવનો રુદ્રાભિષેક અલગ-અલગ વસ્તુઓથી અલગ-અલગ ઈચ્છાઓ માટે કરવામાં આવે છે. ઘીથી શિવલિંગનો અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે. બીજી તરફ ગંગાના જળથી અભિષેક કરવાથી દુ:ખ અને પાપોમાંથી મુક્તિ મળે છે.

સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સોમવારે શિવ મંદિરમાં દીવાઓનું દાન કરીને પણ ભોલેનાથ ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાચા ચોખા સાથે કાળા તલ મિક્ષ કરીને દાન કરવાથી પિતૃ દોષ દૂર થાય છે.

સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી 'ઓમ નમઃ શિવાય' મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં રૂદ્રાક્ષ અર્પણ કરવાથી દામ્પત્ય જીવન સુખી બને છે.

કોણે કરવું જોઈએ સોમવારનું વ્રત

સોમવારનો દિવસ ભગવાન શિવ અને ચંદ્રદેવ સાથે સંબંધિત છે. સુખ-સમૃદ્ધિ, માનસિક શાંતિ, સ્વાસ્થ્ય અને પ્રસન્નતા માટે સોમવારે વ્રત કરવું જોઈએ. આવો જાણીએ કોના માટે સોમવારે વ્રત રાખવું ફાયદાકારક રહેશે.

  • જે લોકો ઉગ્ર સ્વભાવ ધરાવતા હોય તેમણે સોમવારે વ્રત અવશ્ય રાખવું. આના કારણે આક્રમકતામાં ઘટાડો થાય છે અને તેમનો સ્વભાવ ખુશખુશાલ બને છે.
  • જો તમે સતત માનસિક સમસ્યાઓ અથવા તણાવનો સામનો કરી રહ્યા છો, તો તેનું કારણ ચંદ્ર દોષ હોઈ શકે છે. એટલા માટે આવી સ્થિતિમાં તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ અને ચંદ્રદેવની પૂજા પણ કરવી જોઈએ.
  • કર્ક રાશિવાળા લોકોએ પણ સોમવારે વ્રત રાખવું જોઈએ. કારણ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ છે. એટલા માટે તમારી રાશિ કર્ક છે, તો તમારે પણ સોમવારનું વ્રત અવશ્ય રાખવું.
  • જો તમારી કુંડળીમાં ચંદ્ર શનિ સાથે હોય તો વિષ યોગ બને છે. આ સ્થિતિમાં તમારે જ્યોતિષ દ્વારા જણાવેલા ઉપાય કરવા જોઈએ અને સોમવારે વ્રત પણ રાખવું જોઈએ.
  • જન્મ પત્રિકાના છઠ્ઠા, સાતમા કે આઠમા ભાવમાં ચંદ્ર હોય તો પણ સોમવારે ઉપવાસ ફળદાયી સાબિત થાય છે. આવી સ્થિતિમાં સોમવારે વ્રત રાખો.
  • સારા વરની ઈચ્છા રાખવા માટે અવિવાહિત છોકરીઓ સોમવારે વ્રત રાખી શકે છે. સોમવારે વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી સારા વરની પ્રાપ્તિ થાય છે અને દાંપત્ય જીવન પણ સુખી બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget