શોધખોળ કરો

Navratri 2024 1st Day : નવરાત્રિના પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજાવિધિ?

આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ શુભ અવસર પર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે

આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ શુભ અવસર પર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન પછી મા શૈલપુત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. શૈલ એટલે હિમાલય અને પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે માતા પાર્વતીને શૈલપુત્રી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ શ્રદ્ધા અને વિધિપૂર્વક મા શૈલપુત્રીની પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. માતા શૈલપુત્રીના આશીર્વાદથી તમને ઈચ્છિત ફળ મળે છે.

માતા શૈલપુત્રીનું સ્વરૂપ

માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંત, સરળ, નમ્ર અને દયાથી ભરેલું છે. માતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. તેઓ નંદી નામના બળદ પર સવાર થઈને હિમાલય પર બિરાજમાન છે. નંદીને ભગવાન શિવનો ગણ માનવામાં આવે છે. તપસ્યા કરનારા માતા શૈલપુત્રી તમામ વન્ય જીવોની રક્ષક પણ છે અને સૌંદર્ય અને દયાની મૂર્તિ પણ છે. જે ભક્તો દેવી શૈલપુત્રીની પૂજા કરે છે અને નવરાત્રિના પ્રથમ દિવસે વ્રત રાખે છે, તેમના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે અને માતા સંકટ સમયે તેમની રક્ષા કરે છે. તે તેમના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે

નવરાત્રિના પહેલા દિવસે આ રીતે કરો ઘટસ્થાપન

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપનમાં તાંબા અથવા માટીના કળશમાં દેવી દુર્ગાનું આહવાન કરવામાં આવે છે. આ કળશને નવ દિવસ સુધી પૂજા સ્થાન પર રાખવામાં આવે છે. ઘટસ્થાપન માટે ગંગાજળ, નારિયેળ, લાલ કપડું, ચંદન, પાન, સોપારી, ધૂપ, ઘીનો દીવો, તાજા ફળો, ફૂલની માળા, બેલપત્રોની માળા અને એક શાળીમાં ચોખાની જરૂર હોય છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે આસો નવરાત્રિ 3જી ઓક્ટોબરથી શરૂ થશે. આજે ઘટસ્થાપન માટે શુભ સમય છે. મંદિરો અને શક્તિપીઠોમાં સવારે 4:09 થી 5:07 સુધી વિશેષ શુભ રહેશે. તમે ઘરો અને પંડાલોમાં સવારે 9:40 થી 11:50 સુધી દેવી ભગવતીની પૂજા કરી શકો છો. આ સમય વૃશ્ચિક રાશિમાં રહેશે અને સામાન્ય રીતે શુભ રહેશે.

મા શૈલપુત્રીની પૂજાવિધિ

મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી તે વિશે દેવી ભાગવત પુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને અને મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરીને પૂજાની શરૂઆત કરો.

આસો નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. આ પછી પૂજા સ્થળ પર ગંગા જળ છાંટીને શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેના પર મા દુર્ગાની મૂર્તિ, ચિત્ર અથવા ફોટો સ્થાપિત કરવામાં આવે છે. કળશની સ્થાપના સમગ્ર પરિવાર સાથે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવે છે

ઘટસ્થાપના પછી મા શૈલપુત્રીના ધ્યાન મંત્રનો જાપ કરો અને નવરાત્રિ વ્રતનો સંકલ્પ લો. મા દુર્ગાની પ્રથમ શક્તિ મા શૈલપુત્રીની પૂજા ષોડશોપચાર પદ્ધતિથી કરવામાં આવે છે. તેમની પૂજામાં તમામ નદીઓ, તીર્થસ્થાનો અને દિશાઓનું આહવાન કરવામાં આવે છે.

માતાને કુમકુમ અર્પણ કરો અને સફેદ, પીળા કે લાલ ફૂલ ચઢાવો. માતાની સામે ધૂપ અને દીવો પ્રગટાવો. તેમજ પાંચ દેશી ઘીના દીવા પ્રગટાવો. આ પછી માતા શૈલપુત્રીની આરતી કરો.

પછી માતાની કથા, દુર્ગા ચાલિસા, દુર્ગા સ્તુતિ અથવા દુર્ગા સપ્તશતી વગેરેનો પાઠ કરો. તેમજ પરિવાર સાથે માતા દેવીની સ્તુતિ કરો. અંતમાં માતાને ભોગ અર્પણ કરી પૂજા પૂર્ણ કરો. સાંજની પૂજામાં પણ માતાની આરતી કરો અને મંત્રોચ્ચાર અને ધ્યાન કરો.

માતા શૈલપુત્રીનો પ્રસાદ

નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. શૈલનો અર્થ થાય છે પથ્થર, જેને હંમેશા અડગ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું ઘણું મહત્વ છે. માતાને પ્રસન્ન કરવા માટે સફેદ ફૂલ, વસ્ત્રો અને મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓને સારો વર મળે છે. સાથે જ ઘરમાં પૈસા અને અનાજની ખોટ રહેતી નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ
Iran Israel War: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
Iran Israel War: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર
Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harshad Ribadiya|કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડીયા ગીર ઈકો સેન્સેટીવ ઝોન સામે ઉતરશે વિરોધમાંSurat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ
Iran Israel War: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
Iran Israel War: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર
Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર
Navratri 2024 1st Day : નવરાત્રિના પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજાવિધિ?
Navratri 2024 1st Day : નવરાત્રિના પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજાવિધિ?
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Navratri 2024: આજથી નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત?
Navratri 2024: આજથી નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત?
Travel Advisory: 'ઇરાનનો પ્રવાસ ના કરો' યુદ્ધ વચ્ચે મોદી સરકારે નાગરિકોને માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
Travel Advisory: 'ઇરાનનો પ્રવાસ ના કરો' યુદ્ધ વચ્ચે મોદી સરકારે નાગરિકોને માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
Embed widget