શોધખોળ કરો

Ganesh Chaturthi 2025: ગણેશ પૂજામાં આ ભૂલ ક્યારેય ન કરો, નહીં તો પૂજા નિષ્ફળ જશે

ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે આ અંગે સચોટ માર્ગદર્શન આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે સાચા વિધિ વિધાનથી ગણેશ ઉત્સવમાં ગણેશ પૂજન કરવામાં આવે તો ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે

Ganesh Chaturthi: ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે આ અંગે સચોટ માર્ગદર્શન આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે સાચા વિધિ વિધાનથી ગણેશ ઉત્સવમાં ગણેશ પૂજન કરવામાં આવે તો ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા આવે છે વિઘ્નો દૂર થાય છે અને શુભ અને મંગળ થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. 

વર્ષ દરમિયાન ભગવાન ગણેશને રીઝવવાનો શ્રેષ્ઠ સમય  એટલે  ગણેશ મહોત્સવ. જે ગણેશ ચતુર્થીથી શરૂ થાય અને અનંત ચૌદશના રોજ પૂરો થાય છે. માટે જ  સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશની સ્થાપના કરાય છે. 10 દિવસના ઉત્સવમાં પૂજન અર્ચન  કરી અનંત ચૌદસના રોજ તેમનું વિસર્જન કરવામાં આવે છે.  

ગણેશ ચતુર્થી, ગણેશજી જેમને પ્રથમ પૂજ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા તેમની પૂજા કરાય છે તેઓની આરાધના કરવાનો આ શ્રેષ્ઠ અવસર ગણાય છે.  

1 ગણેશજીની કેવી મૂર્તિ શ્રેષ્ઠ ફળ આપે ?

માટીના ગણેશનો મહિમા કેમ ? 

શાસ્ત્રો અનુસાર  વિશેષ રૂપે સાચો મહિમા માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો એટલે  છે  તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. જેના ત્રણ મુખ્ય કારણો છે.  1- પૂર્વ કાળમાં માતા ઉમા એ જ દિવસે  ગણેશજીને પોતાના શરીરના મેલ અને કાચી માટીથી ગણેશજીનું સર્જન કર્યું હતું.  2 - ગણેશ જીને હાથીનું શીશ લગાવી આજ દિવસે ભગવાન શિવજીએ પુનઃ સજીવન કર્યા હતા. 3-  મહાભારત ગ્રંથ રચના સમયે મહર્ષિ વેદ વ્યાસજીએ ગણેશજીને શીતળતા મળે તે માટે માટીનો લેપ લગાવ્યો હતો આ મહાન કથાઓને કારણે ગણેશ પર્વ ઉજવાય છે માટે જ સાચો મહિમા માટીના ગણેશનો છે.  

મૂષક , રિદ્ધિ સિદ્ધિ અને મોદક  સહિતના ગણેશજીની પ્રતિમા લેવી

ગણેશજીના  અસ્ત્ર

પ્રમુખ અસ્ત્ર-  પાશ, અંકુશ,અને પરશુ છે 

ગણેશજીના અન્ય શણગારમાં શંખ કમળ પુષ્પ  ચક્ર  ગદા પરશુ અને નાગ છે મૂષક

2 ભગવાન ગણેશનો મહિમા

આજ કારણે  ગણેશ પર્વેમાં ગુજરાત સહિત દેશભરમાં  માટીના ભગવાન ગણેશનો મહિમા  છે.  પોતાના ઘર શહેર નગર શેરી ઓફીસ ફેક્ટરી કે દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી કરી શકાય.  

આ વર્ષે ગણેશ ઉત્સવમાં 27 ઓગસ્ટ 2025  બુધવારે ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપના અને 6 સપ્ટેમ્બર શનિવારે અનંત ચૌદસે ગણેશ વિસર્જન આમ આ દસ દિવસ ગણેશ આરાઘના કરાશે.  

3 ગણેશ ચોથના ચંદ્ર દર્શન નિષેધ  મનાય  છે.   ગણેશજીએ શ્રાપ આપેલો છે.  

નિષેધ ચંદ્ર દર્શનનો સમય (ગણેશ ચતુર્થી 2025 ચંદ્ર સમય)
ગણેશ ચતુર્થી પર ચંદ્ર જોવાનું અશુભ માનવામાં આવે છે. જેથી  આ દિવસે ચંદ્ર જોવાથી કોઈ પ્રકારનો કલંક લાગે છે. તેથી એક દિવસ પહેલા એટલે કે 26 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી ચંદ્ર જોવાની મનાઈ છે.

નિષેધ ચંદ્ર દર્શનનો સમય - 26 ઓગસ્ટ બપોરે 01:54 થી સાજે 08:29 વાગ્યા સુધી
સમયગાળો - 6 કલાક 34 મિનિટ
નિષેધ ચંદ્ર દર્શનનો સમય - 27 ઓગસ્ટ સવારે 09:28 થી 08:57 વાગ્યા સુધી
સમયગાળો - 11 કલાક 29 મિનિટ 

માટીના  ગણેશજીનું પૂજન

ભક્તો માટીના  ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ તેમજ શુભતાના દેવ વિઘ્નહરતા દેવ કહેવાય છે.  જેથી કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ સ્મરણ કરી કાર્ય કરાય છે.  આદિ કાળથી ભક્તો દ્વારા ગણેશ ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં સ્થાપના કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે 

4 ગણેશજીને રીઝવવા શ્રેષ્ઠ મંત્રો 

ઓમ ગં ગણપતયે નમઃ

ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્

ગણેશજી - જલ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ  મિશ્રિત જળથી સ્નાન ખુબ પ્રિય છે તેમની પાસે જલ અવશ્ય રાખવું. 

ગણેશ સ્થાપન પાસે જલ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે 

ગણેશજી - બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે

5  ગણેશજીને પ્રિય પ્રસાદ

અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ તેમજ ગોળ  

ગણેશજીને  મન ગમતા પુષ્પ જાસુદ લાલ પીળા, લાલ ગુલાબના પુષ્પ, પીળા કેસરી ગલગોટા હજારીગલના પુષ્પ 

પ્રિય ફળ-કેળા, ચીકુ, સીતાફળ સફરજન, પપૈયુ

ગણેશજીને ધરો કેવી રીતે અર્પણ કરાય

ગણેશજીને  ધરો અતિપ્રિય છે અચૂક તેમને અર્પણ કરાય છે.  ગણેશજીને ધરોની 21 ગાંઠો અર્પણ કરવાથી  મનોકામના પૂર્ણ થાય તેમજ જીવનમાં શીતળતા અને સુખ પ્રાપ્ત થાય  છે. ગણેશજીને સમીપત્ર પ્રિય છે તે અર્પણ કરી શકાય તેનાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે 

ઉપરોક્ત ગણેશજીની ચીજો સામગ્રીઓ દ્વારા આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે

6 ભગવાન ગણેશને અપ્રિય 5 વસ્તુઓ

તુલસી, ખંડિત સૂકા ચોખા, કેતકી કે સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર અને સફેદ ચંદન ચઢાવવામાં આવતા નથી કેમકે તે ચંદ્રથી સંબંધિત છે. ગણેશજીને અન્ય અપ્રિય બાબતોમાં કેક, પેસ્ટ્રી, પીઝા, પાસ્તા, સેન્ડવીચ જેવી ચીજો ન ધરાવી શકાય.  ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન થાળ સ્વરૂપે મોદક સહિત ધરાવી શકાય. 

બીજું ઘણા ભક્તોને એવો પણ સંશય રહે છે કે ઓફિસ કે ફેક્ટરીમાં સ્થાપન કર્યા પછી તેને બંધ કરાય નહીં તેવો કોઈ વહેમ રાખવો નહીં હા, એકવાત જરૂરી છે  સ્થાપન કર્યા પછી બંને સમય તેમનું પુજન અર્ચન થવું જોઈએ.  બંને સમય ફુલહાર પ્રસાદ ધૂપ દીપ આરતી કરવી જરૂરી છે. 

(જાણીતા જ્યોતિષી ચેતન પટેલ) 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત

વિડિઓઝ

Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ
Gujarat Local Body election 2026: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા
US Israel Iran War Update: ઈરાનના સૌથી મોટા બ્રિજ પર અમેરિકાનો હુમલો, અત્યાર સુધી 8 લોકોના મોત
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી
1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી
Embed widget