Vashant Panchami 2025: વસંત પંચમીના અવસરે અચૂક આ રંગનો કરો પરિધાન ધારણ, જાણો શું થાય છે ફાયદા
Vashant Panchami 2025: વસંત પંચમી 2 અને 3 ફેબ્રુઆરી 2025નાં છે. હિન્દુ ધર્મમાં આ દિવસે પીળા પરિધાન પહેરવાનું ખાસ મહત્વ છે. જાણો આ દિવસે પીળા પરિધાન કેમ ધારણ કરાય છે.

Vashant Panchami 2025: વસંત પંચમી 2 અને 3 ફેબ્રુઆરી 2025નાં છે. હિન્દુ ધર્મમાં આ દિવસે પીળા પરિધાન પહેરવાનું ખાસ મહત્વ છે. જાણો આ દિવસે પીળા પરિધાન કેમ ધારણ કરાય છે. મા સરસ્વતી સાથે શું છે સંબંધ
હિન્દુ ધર્મમાં બસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિદ્યા, સંગીત અને કલાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ બસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે બસંત પંચમી (Vasnat panchami) નો તહેવાર 2 અને 3 ફેબ્રુઆરી 2025નાં છે. આ દિવસે મા સરસ્વતીની પૂજામાં પીળા વસ્ત્રો, પીળા ફૂલ, ગુલાલ, અક્ષત, ધૂપ, દીવો, ગંધ વગેરે અર્પણ કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ તિથિએ માતા સરસ્વતી હાથમાં વીણા લઈને કમળ પર બેઠેલા અને પુસ્તક લઈને દેખાયા હતા. ત્યારથી, માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી દિવસને બસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે બસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા કરવાથી મા સરસ્વતીની સાથે મા લક્ષ્મી અને દેવી કાલીનો આશીર્વાદ મળે છે.
વસંત પંચમી પર પીળા પરિધાન કેમ પહેરાય છે
હિંદુ શાસ્ત્રો અનુસાર, પીળો રંગ વીણા વાદિની મા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે. એટલું જ નહીં, પીળો રંગ જીવનમાં સકારાત્મકતા લાવે છે. આ રંગને નવા કિરણ અને નવી ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ કારણથી બસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત મા સરસ્વતીની પૂજા દરમિયાન બૂંદીના લાડુ અથવા બેસનના લાડુ ચઢાવવામાં આવે છે. તેનાથી માતા ખૂબ જ ખુશ થાય છે. માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન પીળા ફૂલ ચઢાવવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
