શોધખોળ કરો

Ram Mandir:  રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે કેમ ? જાણો કારણ

22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાના શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.  આ તારીખ અને મૂહર્તની અંદર બહુ મોટા રહસ્યો છુપાયેલા છે.

22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાના શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.  આ તારીખ અને મૂહર્તની અંદર બહુ મોટા રહસ્યો છુપાયેલા છે જો રામ મંદિરની સ્થાપના અંગે મુહર્ત ની વાત કરીએ તો આનાથી શ્રેષ્ઠ મુહૂર્ત કદાપી નીકળી ન શકે સત્ય જાણશો તો ચોંકી જશો. 

અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ મહારાજ દશરથને ત્યાં અયોધ્યામાં થયો હતો. અયોધ્યામાં રામ મંદિરમાં  22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે શુભ મુહૂર્ત નક્કી કરેલ છે જેનું રહસ્ય અનોખું છે.  આ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  હિન્દુઓની આસ્થા ભગવાન શ્રીરામમાં હજારો વર્ષોથી છે. અયોધ્યાનું આ સ્થળ ભારતમાં ખૂબ જ વિવાદિત રહ્યું છે.  છેલ્લા 600 વર્ષથી આ રામ મંદિરનો વિવાદ ચાલતો હતો જેનો સુખદ અંત કોર્ટની દરમિયાનગીરીથી આવ્યો હતો.
 
હવે તે જ સ્થળે ભગવાન શ્રીરામના મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 ના દિવસે રાખવામાં આવી છે.  આ દિવસ તેનું અનોખું મહત્વ અને રહસ્ય ધરાવે છે. જો  22 જાન્યુઆરીના દિવસની પસંદગીના આ કારણને જાણશો તો આપ પણ ચોંકી જશો. કારણ વગર આ દિવસ આવ્યો નથી અને આ દિવસ આવ્યો છે તો પરિણામ પણ અનોખું મળવાનું છે.  અહી જ્યોતિષશાસ્ત્ર તેમજ હિન્દુ ધર્મ શાસ્ત્ર વગેરેની મહાનતા જોવા મળે છે.  

અંક શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ 22 ,1,  2024 ની તો તેમાં અનોખું રહસ્ય છે

સૌથી પહેલા વાત કરીએ 22 તારીખની
જેમાં 2+2=4 ચારના અંકને રાહુલનો અંક કહેવામાં આવે છે રાહુ માયાજાળનું ગ્રહ છે અણધારી બાબતોનો ગ્રહ છે 
જેમકે ભગવાન શ્રી રામ મંદિરનો વિવાદ અનિશ્ચિત અને અણધારી બાબત હતી
હવે વાત કરીએ 22 ,1,2024 જો સમગ્રનું ટોટલ મારીએ તો પણ 13 થાય 
2+2+1+2+2+4= 13 એટલે 1+3=4 રાહુનો અંક 
આમ 22 તારીખમાં પણ 4, રાહુનો અંક છે 
સમગ્ર તારીખ મહિનો અને વર્ષનું ટોટલ મારીએ તો પણ અંક 4 છે જે રાહુનો છે
વાત અહીંયાથી સમાપ્ત થતી નથી અહીં શનિ ગ્રહનું પણ યોગદાન લેવાયેલું છે 
22 તારીખનો 4 + 4 આખા વર્ષનું ટોટલ= 8
જેને શનિનો અંક કહેવામાં આવે છે 

 

જેનું મહત્વ લેવું જરૂરી છે. જો ભારતમાં કોઈ પણ મહત્વ નું કાર્ય સરળતાથી સફળ બનાવવું હોય તો શનિનો સાથ લેવો અનિવાર્ય છે તો વિના કાર્ય પૂર્ણ થાય નહિ  કેમ કે ભારત આઝાદ થયું 15,8 (ઓગષ્ટ)1947  તેમાં પણ શનિનો રોલ છે.  કેમ કે 1+5+8+1+9+4+7= 35 તેથી 3+5= 8 જે શનિનો છે.  જેથી ભારત શનિ પ્રધાન દેશ ગણાય છે અને આમ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આઝાદ ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં શનિ ગ્રહને યોગી ગ્રહ ગણવામાં આવે છે.  સૌથી શ્રેષ્ઠ અને શુભ ફળ આપતો ગ્રહ તેમજ રાજા ગણાય છે .  આમ  આ તારીખની અંદર પણ ભારતની સાથે ઋણાનું બંધન જોડાયેલું છે 

બીજું 8નો અંક શનિનો છે જેનાથી બીજી એક વાત સ્થાપિત થાય છે કે આ તારીખે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ રહી છે.  તે હિન્દુઓના અતિ પ્રાચીન અને પૌરાણિક ભગવાન છે.  જેની તમામ જૂની બાબતોનો ગ્રહ છે માટે તે પણ આ કાર્ય માટે ખૂબ સાનુકૂળ કહેવાય માટે આ તારીખનું બળ અને ઘણું વધી જાય છે.  હવે સૌથી મહત્વની વાત અત્યારે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમને હાથે આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. તેમનો પણ યોગ તેમના નંબર પણ સાથ આપવા જરૂરી છે.  તેમનો જન્મ 17 સપ્ટેમ્બર ના રોજ થયો છે. 17 તારીખમાં  1+7= 8 જે પણ શનિનો છે જે આ તારીખ તેમને  માટે અને રામ મંદિર પ્રતિષ્ ના કાર્ય માટે પણ શ્રેષ્ઠ રહી શકે છે  એટલે આ તારીખ બહુ સમજી વિચારીને પસંદ થઈ હોય કે આવી હોય જે કંઈ પણ બન્યું હોય કે ભગવાન શ્રીરામની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું હોય કે આંકડાઓની માયાજાળ ગણો કે કંઈ પણ રહસ્યમય બાબત કે જે 600 વર્ષથી જેનો ઉકેલ નહોતો તે નિર્વિઘ્ને પૂર્ણ થાય શાંતિથી આનંદથી અને તે કાર્ય સંપન્ન થાય તે જ આ તારીખના મુહૂર્ત આંકડા અને અંકોની કમાલ છે. 

ભૂતકાળમાં આ તારીખ ડિક્લેર થયા પહેલા જેની કલ્પના કોઈપણ ન કરી શકે તેવી જ શ્રી રામ મંદિરની બાબત એક પ્રમાણે માયાવી અને અતિ પ્રાચીન ગણી શકાય તેવી હતી જેનું સુખદ ઉકેલ આ તારીખે આવે અને કાર્ય સંપન્ન થાય જે શ્રેષ્ઠ ગણાય.   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
Embed widget