![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shrawan 2022: શ્રાવણ મહિનાના સોમવારે કરો આ ઉપાય, પતિ-પત્નીમાં ઝઘડા થશે બંધ ને જીવનમાં આવશે મીઠાશ
Shrawan Somvar: શાસ્ત્રોમાં શ્રાવણના સોમવાર માટે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે દામ્પત્ય જીવનમાં મધુરતા લાવે છે. આ ઉપાયોથી દાંપત્ય જીવનને સુખી બનાવી શકાય છે.
![Shrawan 2022: શ્રાવણ મહિનાના સોમવારે કરો આ ઉપાય, પતિ-પત્નીમાં ઝઘડા થશે બંધ ને જીવનમાં આવશે મીઠાશ Shrawan 2022: If quarrel in husband wife do these updy on somvar of shrawan Shrawan 2022: શ્રાવણ મહિનાના સોમવારે કરો આ ઉપાય, પતિ-પત્નીમાં ઝઘડા થશે બંધ ને જીવનમાં આવશે મીઠાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/24/c3469bb53d2ee16aa7b66d1d75e15ee51658667587_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shrawan Somwar 2022: શ્રાવણ મહિનામાં તન અને મનથી શિવભક્તિ કરવામાં આવે છે, કારણ કે આ મહિનામાં શિવ ખૂબ જ પ્રસન્ન રહે છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ મહિનાથી સોળ સોમવારનો ઉપવાસ શરૂ કરે છે. હરિયાળી ત્રીજ પર, પરિણીત મહિલાઓ સોળ શણગાર કરે છે અને પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે માતા પાર્વતીને પ્રાર્થના કરે છે. શાસ્ત્રોમાં શ્રાવણના સોમવાર માટે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે દામ્પત્ય જીવનમાં મધુરતા લાવે છે. આ ઉપાયોથી દાંપત્ય જીવનને સુખી બનાવી શકાય છે.
શ્રાવણ મહિનામાં સોમવારે આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનમાં આવશે ખુશી
- જો તમે વિવાહિત જીવનમાંથી પરેશાનીઓ દૂર કરવા ઈચ્છો છો તો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે પતિ-પત્નીએ મળીને શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. તેનાથી બંનેમાં પ્રેમ વધશે અને દાંપત્યજીવન સુખી રહેશે.
- શ્રાવણના સોમવારે દંપતિએ સાંજના સમયે શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે મળીને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે. આ ઉપાય આખા શ્રાવણ માસ સુધી પણ કરી શકાય છે.
- શ્રાવણના સોમવારના દિવસે શિવ પૂજા દરમિયાન પતિ-પત્નીએ 21 બિલીપત્ર પર ચંદનથી 'ઓમ નમઃ શિવાય' લખીને શિવલિંગને અર્પણ કરવું જોઈએ. આનાથી પરસ્પર ખટાશનો અંત આવશે અને પ્રેમમાં વધારો થશે.
- વિવાહિત જીવનમાં ઉથલપાથલ થઈ રહી હોય, સંબંધો સુધારવાના તમામ પ્રયાસો કામ ન કરતા હોય તો શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ વધશે અને સંબંધ વધુ મજબૂત બનશે.
- વિવાહિત જીવનમાંથી કડવાશ દૂર કરવા માટે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીને ચોખાની ખીર ચઢાવો. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)