શોધખોળ કરો

શનિવારના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદવી જોઈએ, થશે આર્થિક નુકસાન

શનિવારનો દિવસ શનિદેવની પૂજા માટે શુભ માનવામાં આવે છે.  ભક્તો શનિદેવની પૂજા કરે છે. જો કે, આ દિવસે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શનિવારનો દિવસ શનિદેવની પૂજા માટે શુભ માનવામાં આવે છે.  ભક્તો શનિદેવની પૂજા કરે છે. જો કે, આ દિવસે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, આ દિવસે શનિદેવની પૂજા કરનારાઓએ ક્યારેય માંસ અથવા આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે આ દિવસે ખરીદવી મોંઘી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓ ખરીદવાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. 

શનિવારે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો

લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે, તેથી આ દિવસે ભૂલથી પણ લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જો તમે શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદો છો, તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આના કારણે તમારી નાણાકીય  પરિસ્થિતિ બગડી શકે છે, તેથી ભૂલથી પણ શનિવારે લોખંડ ખરીદવાનું ટાળો.

તમારે શનિવારે મીઠું પણ ન ખરીદવું જોઈએ. જો તમે ઘરમાં મીઠું લાવશો તો પરિવારમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. આ સાથે આ દિવસે બાજુમાં રહેતા કોઈ પાડોશી પાસેથી મીઠું ન માંગવું જોઈએ.

તીક્ષ્ણ વસ્તુઓની ખરીદી ન કરવી 

આ દિવસે તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે સોય, કાતર, છરી વગેરે ખરીદીને ઘરે ન લાવવી જોઈએ. આવું કરવાથી તમારા પરિવારનું વાતાવરણ બગડી શકે છે જો તમે શનિવારે આ વસ્તુઓ ખરીદો છો તો પરિવારમાં મતભેદ થઈ શકે છે. આ ઉપરાંત ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. તેથી શનિવારે ભૂલથી પણ ધારદાર વસ્તુઓ ન ખરીદવી.

શનિવારે બુટ અને ચપ્પલ ન ખરીદો

બુટ અને ચપ્પલની ખરીદી પણ આ દિવસે શુભ માનવામાં આવતી નથી. જો તમે આ દિવસે બુટ અને ચપ્પલ ખરીદો છો, તો તમને સંપત્તિ ભેગી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આ દિવસે સાવરણી ખરીદવાનું પણ ટાળવું જોઈએ.

કાળા રંગના કપડા ન ખરીદો

કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી તમારે શનિવારના દિવસે ક્યારેય કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ. જો તમે આ દિવસે કાળા રંગના કપડાં ખરીદો છો, તો તમારે ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સરસવનું તેલ ન ખરીદો

શનિવારે શનિદેવની પૂજા દરમિયાન તેમને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. તેથી શનિવારે ક્યારેય સરસવનું તેલ ખરીદવું જોઈએ નહીં. તેલ ખરીદવાથી ન માત્ર શનિદેવ નારાજ થાય છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તેના બદલે આ 7 શુભ વસ્તુઓ ખરીદો, માં લક્ષ્મી થશે પ્રસન્ન
ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તેના બદલે આ 7 શુભ વસ્તુઓ ખરીદો, માં લક્ષ્મી થશે પ્રસન્ન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bomb Threat: રાજકોટમાં 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામIND vs NZ: બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો પરાજય, જુઓ અહેવાલBanaskantha News : નિયામકના લેટરમાં ખોટી સહી કરી આચાર્યે રૂપિયા પડાવ્યાનો આરોપ, કરાયા સસ્પેન્ડGeniben Thakor : ગેનીબેન ઠાકોરે MLA ક્વાર્ટર ખાલી કરવા મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તેના બદલે આ 7 શુભ વસ્તુઓ ખરીદો, માં લક્ષ્મી થશે પ્રસન્ન
ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તેના બદલે આ 7 શુભ વસ્તુઓ ખરીદો, માં લક્ષ્મી થશે પ્રસન્ન
8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલનો કરો ઉપયોગ, મ્યુચ્યુઅલ ફંડથી 1 કરોડ રૂપિયા ઝટપટ જમા થઈ જશે
8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલનો કરો ઉપયોગ, મ્યુચ્યુઅલ ફંડથી 1 કરોડ રૂપિયા ઝટપટ જમા થઈ જશે
IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ind vs nz test: 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો 
ind vs nz test: 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો 
બજારમાં મળી રહ્યું છે નકલી અમૂલ ઘી, કંપનીએ જાતે જણાવ્યું કેવી રીતે અસલી અને નકલી ઘી ઓળખવું
બજારમાં મળી રહ્યું છે નકલી અમૂલ ઘી, કંપનીએ જાતે જણાવ્યું કેવી રીતે અસલી અને નકલી ઘી ઓળખવું
Embed widget