શોધખોળ કરો

કાળીચૌદશે આ મંત્રનો જાપ કરવાથી શત્રુ ભય કષ્ટ બાધા દૂર થશે, બનશે આ  દુર્લભ સિદ્ધિયોગ

આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪  શનિવારે  હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે,  કેમ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૌદશ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગ થાય છે.

આ મંત્ર પ્રયોગો કાળીચૌદશે કરવાથી  મહાકાળી અને હનુમાનજી અને ભૈરવનું રક્ષણ  મળે છે.    આ અંગે જણાવતા ગુજરાતના  જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રિ છે એટલે કાળી ચૌદશ તેમાં પણ શનિનો દુર્લભ યોગ છે.   આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪  શનિવારે  હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે,  કેમ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૌદશ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગ થાય છે અને સાથે કાળી ચૌદસ  સ્વયં એક સિદ્ધિ પ્રાપ્ત કરાવતો પર્વ  છે. તા. ૧૧-૧૧-૨૦૨૩ આ દિવસે  દિવસે અને રાત્રે  મહા કાળીપૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતાની સાધનાનો પર્વ

સમય : બપોરે ૧૨-૨૪ થી ૧૬-૩૨ ( ચલ લાભ અમૃત )
સાંજે ૧૭-૫૫ થી ૧૯-૩૨( લાભ) 
રાત્રે ૨૧-૧૦ થી ૨૬-૦૧ 
( શુભ અમૃત ચલ) 
સુધીમાં સાધના  મશીનરી, યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય 
 
કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે.  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે.   માટે જ કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર , પ્રેત પિશાચ રાત્રિ , ભય , નાશ પામે છે. આપત્તિ,  સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે. કાળીચૌદશે  મહાકાળી ભૈરવ, રુદ્ર , હનુમાનજી   જેવા ઉગ્ર દેવી -દેવતાઓની પૂજા પ્રાર્થના સાધના કે મંત્ર ઉપાસના કરવામાં આવે છે.  આ અંગે જ્યોતિષ ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે  આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી  માનવામાં આવે છે . તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદશે  તંત્ર - મંત્ર - યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્રયોગો સાધનાઓ થાય છે અને  ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે.  સામાન્ય લોકો પણ કાળી ચૌદશ મહાકાળી હનુમાનજી અને ભૈરવની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે. 

મહાકાળી મંત્ર યંત્ર સાધનાનોપ્રયોગ 

મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ ભક્તોને સદાય શુભ આપે છે . ઉપરોક્ત સાધનામાં મહાકાળીના મહામંત્રની સાધના શ્રેષ્ઠ ગણાય છે. 
   ॐ क्रीं
  ॐ क्रीं काली नमः 
  ॐ क्रीं कालिकायै नमः

 મંત્ર- “ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની , દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે...

ઉપરોક્ત મંત્રની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળીનું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ પર વિજય મેળવી શકાય છે

 આજની હનુમાનજીની  ઉપાસના  સંકટ ભૂત પ્રેત  બાધાઓથી મુક્તિ મેળવી શકે છે 
 
વિઘ્ન નિવારણ મંત્ર :  ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા

કાળીચૌદશની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાનજી સમક્ષ બેસી  લાલ કે કેસરી વસ્ત્ર પહેરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ,  રોગ, સંકટો શત્રુઓ અને  તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે. 

હનુમાન ચાલીસા પ્રયોગ

કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 7 વખત હનુમાન ચાલીસા કરવાથી ભય નાશ પામે છે શત્રુ બાધા દૂર થાય છે.  આકસ્મિક રક્ષણ મળે છે.  મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે.  

ભૈરવ રક્ષણ માટેનો મંત્ર પ્રયોગ

અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં અતિ ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસ  કલ્યાણ થાય તે ભાવથી નિર્મિત કરેલ છે 

 “ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”

 કાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચનો  ભય રહેતો નથી.  શત્રુ  બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Shani Amavasya 2026: શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 સરળ ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
Shani Amavasya 2026: શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 સરળ ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
Budh Gochar 2026: ધનના દેવતા કુબેરની દિશામાં પ્રવેશ કરશે બુધ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત 
Budh Gochar 2026: ધનના દેવતા કુબેરની દિશામાં પ્રવેશ કરશે બુધ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા
Ambalal Patel Forecast: ગરમી બતાવશે રૌદ્ર સ્વરુપ... : અંબાલાલ પટેલની મોટી આગાહી
PM Modi Gujarat Visit : PM મોદીનો આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Tamil Nadu CM Oath Ceremony: થલાપતિ વિજય તમિલનાડુના નવા બોસ, મુખ્યમંત્રી પદના લીધા શપથ
Ahmedabad news : વધુ એક ગુજરાતી પરિવાર ફસાયો વિદેશમાં, લંડન જતો પરિવાર વિદેશમાં બંધક બનાવાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Joseph Vijay Speech: તમિલનાડુના CM બન્યાં બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત, કહ્યું રાજ્યમાં.....
Joseph Vijay Speech: તમિલનાડુના CM બન્યાં બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત, કહ્યું રાજ્યમાં.....
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ
Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ
Embed widget