શોધખોળ કરો

કાળીચૌદશે આ મંત્રનો જાપ કરવાથી શત્રુ ભય કષ્ટ બાધા દૂર થશે, બનશે આ  દુર્લભ સિદ્ધિયોગ

આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪  શનિવારે  હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે,  કેમ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૌદશ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગ થાય છે.

આ મંત્ર પ્રયોગો કાળીચૌદશે કરવાથી  મહાકાળી અને હનુમાનજી અને ભૈરવનું રક્ષણ  મળે છે.    આ અંગે જણાવતા ગુજરાતના  જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રિ છે એટલે કાળી ચૌદશ તેમાં પણ શનિનો દુર્લભ યોગ છે.   આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪  શનિવારે  હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે,  કેમ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૌદશ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગ થાય છે અને સાથે કાળી ચૌદસ  સ્વયં એક સિદ્ધિ પ્રાપ્ત કરાવતો પર્વ  છે. તા. ૧૧-૧૧-૨૦૨૩ આ દિવસે  દિવસે અને રાત્રે  મહા કાળીપૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતાની સાધનાનો પર્વ

સમય : બપોરે ૧૨-૨૪ થી ૧૬-૩૨ ( ચલ લાભ અમૃત )
સાંજે ૧૭-૫૫ થી ૧૯-૩૨( લાભ) 
રાત્રે ૨૧-૧૦ થી ૨૬-૦૧ 
( શુભ અમૃત ચલ) 
સુધીમાં સાધના  મશીનરી, યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય 
 
કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે.  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે.   માટે જ કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર , પ્રેત પિશાચ રાત્રિ , ભય , નાશ પામે છે. આપત્તિ,  સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે. કાળીચૌદશે  મહાકાળી ભૈરવ, રુદ્ર , હનુમાનજી   જેવા ઉગ્ર દેવી -દેવતાઓની પૂજા પ્રાર્થના સાધના કે મંત્ર ઉપાસના કરવામાં આવે છે.  આ અંગે જ્યોતિષ ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે  આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી  માનવામાં આવે છે . તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદશે  તંત્ર - મંત્ર - યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્રયોગો સાધનાઓ થાય છે અને  ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે.  સામાન્ય લોકો પણ કાળી ચૌદશ મહાકાળી હનુમાનજી અને ભૈરવની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે. 

મહાકાળી મંત્ર યંત્ર સાધનાનોપ્રયોગ 

મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ ભક્તોને સદાય શુભ આપે છે . ઉપરોક્ત સાધનામાં મહાકાળીના મહામંત્રની સાધના શ્રેષ્ઠ ગણાય છે. 
   ॐ क्रीं
  ॐ क्रीं काली नमः 
  ॐ क्रीं कालिकायै नमः

 મંત્ર- “ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની , દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે...

ઉપરોક્ત મંત્રની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળીનું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ પર વિજય મેળવી શકાય છે

 આજની હનુમાનજીની  ઉપાસના  સંકટ ભૂત પ્રેત  બાધાઓથી મુક્તિ મેળવી શકે છે 
 
વિઘ્ન નિવારણ મંત્ર :  ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા

કાળીચૌદશની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાનજી સમક્ષ બેસી  લાલ કે કેસરી વસ્ત્ર પહેરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ,  રોગ, સંકટો શત્રુઓ અને  તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે. 

હનુમાન ચાલીસા પ્રયોગ

કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 7 વખત હનુમાન ચાલીસા કરવાથી ભય નાશ પામે છે શત્રુ બાધા દૂર થાય છે.  આકસ્મિક રક્ષણ મળે છે.  મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે.  

ભૈરવ રક્ષણ માટેનો મંત્ર પ્રયોગ

અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં અતિ ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસ  કલ્યાણ થાય તે ભાવથી નિર્મિત કરેલ છે 

 “ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”

 કાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચનો  ભય રહેતો નથી.  શત્રુ  બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
Embed widget