શોધખોળ કરો
SBI, BOB પછી હવે AXIS બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, વ્યાજ દરમાં કર્યો ઘટાડો
1/4

નોંધનીય છે કે બેન્ક ઓફ બરોડાએ રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પરનો વ્યાજ દર ઘટાડી 3.50 ટકા કર્યો છે. કર્ણાટક બેન્કે પણ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદર ઘટાડ્યા છે. એસબીઆઈએ પણ બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. એસબીઆઈએ 31 જુલાઈથી લાગુ થાય તે રીતે 1 કરોડથી ઓછી રકમમાં બેલેન્સ પર બચત ખાતા ડિપોઝિટ પર વ્યાજ દર 0.5 ટકા ઘટીને 3.5 ટકા કર્યા હતા.
2/4

એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કે રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.50 ટકા કર્યો છે. નવા વ્યાજદર 8 ઓગસ્ટ 2017થી અમલી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં SBIએ રૂ.1 કરોડ અને એથી ઓછા બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.5 ટકા કર્યો હતો.
Published at : 10 Aug 2017 07:11 AM (IST)
View More























