બેન્કીંગ ક્ષેત્રમાં એનપીએ મોટી સમસ્યા છે. બંધારણ અનુસાર હવે આ અધ્યાદેશની છ મહિનાની અંદર સંસદમાંથી મંજુરી રહેવાની રહેશે તેથી ચોમાસુ સત્રમાં આ કાનૂન પર બંને ગૃહોમાં વિચાર થશે.
2/4
બીજી જોગવાઇ હેઠળ રિઝર્વ બેંકને અધિકાર અપાયો છે કે તે નક્કી સમય સીમામાં એનપીએને નિપટવા માટે બેંકોને જરૂરી નિર્દેશો જારી કરી શકે. કેન્દ્રીય કેબીનેટે આ અધ્યાદેશને બુધવારે મંજુરી આપી હતી. બેન્કીંગ કાનૂનમાં ફેરફારોથી બેંકોના ડુબેલા નાણા હવે પરત મેળવવાનો માર્ગ ખુલશે.
3/4
માનવામાં આવે છે કે સરકાર નવા એનપીએ અધ્યાદેશની વિગતો આજે જાહેર કરશે. મળતા અહેવાલો મુજબ બેન્કીંગ રેગ્યુલેશન એકટની કલમ-૩પમાં બે નવી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. એક જોગવાઇ હેઠળ આરબીઆઇને અધિકાર અપાયો છે કે, બેંકોના ડિફોલ્ટરો વિરૂધ્ધ ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરે.
4/4
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ બેન્કિંગ નિયમન કાયદામાં સંશોધન સંબંધીત વટહુકમને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ સરકારે રિઝર્વ બેંકને બેડ લોન (ફસાયેલીલોન)ની વસૂલાત માટે બેંકોની જરૂરી કાર્રવાઈ શરૂ કરવા સંબંધીત નિર્દેશ આપવાના વ્યાપક અધિકાર આપ્યા છે.