શોધખોળ કરો
જો આ કામ કર્યું તો હવે EPF વ્યાજ પર પણ ભરવો પડશે ટેક્સ
1/4

બીજી તરફ રિટાયર્ડ કર્મચારી માટે નિયમ થોડો અલગ છે. જો કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમર બાદ નિવૃત્ત થાય અને પોતાનું ઈપીએફ એકાઉન્ટનું વિડ્રોલ ન કરે અથવા બેલેન્સ ટ્રાન્સફર ન કરે તો તેના રિટાયરમેન્ટની તારીખથી ત્રણ વર્ષ બાદ તેના ઈપીએફ એકાઉન્ટને ‘ઇનઓપરેટિવ’ કેટેગરીમાં મૂકવામાં આવે છે. આ કેટેગરીનાં ખાતાં પર કોઈ વ્યાજ મળતું નથી. તેની પર મળનારા વ્યાજદરની જાહેરાત દર વર્ષે થાય છે. 2016-17 માટે આ દર 8.56 ટકા હતો, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે આ દરોની જાહેરાત બાકી છે.
2/4

ઇનકમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ (TAT)ની બેંગલુરુ બેન્ચે એક નિવૃત્ત કર્મચારીના મામલે સુનાવણીમાં આ આઈટી જોગવાઈને યથાવત્ રાખી હતી. ઈવાય ઇન્ડિયામાં પાર્ટનર અને ઇન્ડિયા મોબિલિટી લીડર અમરપાલ ચડ્ડાએ જણાવ્યું કે, ‘નોકરી બાદ, ભલે તમે નિવૃત્ત થઈ ગયા હોવ, નોકરી છોડી દીધી હોય અથવા તમને બરતરફ કરવામાં આવ્યા હોય, ઘણી વાર કર્મચારી પોતાનું ઈપીએફ ચાલુ રાખે છે અને તેની પર મળતું વ્યાજ લે છે. દુર્ભાગ્યવશ, તેમને એ વાતની જાણકારી હોતી નથી કે, નોકરી ન કરવાની સ્થિતિમાં ઈપીએફ પર મળનારા વ્યાજ પર ટેક્સ પણ લાગે છે.’
Published at : 17 Nov 2017 07:23 AM (IST)
View More























