શોધખોળ કરો
આધારને લઈને મળી મોટી રાહત, જ્યારે ઈચ્છો ત્યારે પાન નંબર સાથે થશે લિંક
1/6

ઇન્કમ ટેક્સની આ સુવિધાનો ફાયદો ઊઠાવવા માટે તમારે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર પોતાને રજિસ્ટર કરવાની કોઇ જરૂર નથી, આ સુવિધા દરેક લોકા માટે છે. એનો ઉપયોગ કરીને કોઇ પણ વ્યક્તિ પોતાના આધારકાર્ડને પાન સાથે લિંક કરી શકે છે. સરકારે 1 જુલાઇ 2017થી એવું ફરજીયાત કરી દીધું છે કે તમારે પાન કાર્ડ બનાવવા માટે પોતાનું આધારકાર્ડ આપવું જરૂરી થશે. આધાર ના હોવાની સ્થિતિમાં તમે પાનકાર્ડ બનાવડાવી શકશો નહીં. તમને જણાવી દઇએ કે આધાર કાર્ડ યૂઆઇડીએઆઇની તરફથી રજૂ કરવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિની બાયોમેટ્રિક ઓળખ લેવામાં આવે છે.
2/6

યૂઆઇડીએઆઇ તરફથી વેરિફિકેશન થઇ ગયા બાદ આધાર અને પાનની લિંકિંગ કન્ફર્મ કરવામાં આવશે. જો તમારે આધાર કાર્ડને પાન સાથે લિંક કરતી વખતે નામના સ્પેલિંગ અલગ અલગ હોવા પર કોઇ સમસ્યા આવે છે કો આવી સ્થિતિમાં આધાર ઓટીપી તમારી મદદ કરશે. ઓટીપી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી પર મોકલવામાં આવશે.
Published at : 13 Aug 2017 07:29 AM (IST)
View More























