જે લોકો વિદેશ જઈને વસી જશે અને એનઆરઆઈ બની જશે તેમના પીપીએફ ખાતા બંધ કરી દેવાશે અને જે દિવસથી ખાતું બંધ થશે તેના અગાઉના મહિના સુધી તેમને પોસ્ટ ઓફિસ સેવિંગ્સની જેમ ચાર ટકાના દરે વ્યાજ મળશે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સહિતની પસંદગીની નાની બચત યોજનાઓ માટેના રોકાણના નિયમોમાં ફેરફારને પગલે આ નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
2/2
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય બચત પત્ર (એનએસસી) સહિત કેટલીક નાની બચત યોજનામાં રોકાણના નિયમમાં ફેરફાર બાદ સરકારે કહ્યું કે જો આ યોજનાઓમાં ખાતાધારક એનઆરઆઈ બની જશે તો આવા ખાતાઓને મેચ્યોરિટી પહેલા જ બંધ કરવામાં આવશે. એનઆરઆઈ બનેલ ખાતાધારકોને 4 ટકાના દરે જ વ્યાજ મળશે, તેને રોકાણ પર એ દરે વ્યાજ નહીં મળે જે દરે સામાન્ય ભારતીય નાગરીકોને આપવામાં આવે છે.