નવી દિલ્હીઃ દેશના મુખ્ય કારોબારી પરિવારમાં ગ્રુપના મુખ્ય લોકોના સંતાનોને પગાર ભથ્થાની વાત કરવામાં આવે તો કારોબારમાં ઝંપલાવતા જ કરોડોમાં રમવા લાગે છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, વિપ્રોના અઝમ પ્રેમજી સહિત તમામ મોટા કારોબારી ગ્રુપના પ્રમુખ પોતાના સંતાનોને બિઝનેસમાં ડાયરેક્ટર, પ્રમોટર્સ કે અન્ય નિર્ણાયક પદ પર નિમણૂંક કરે છે. તેમાંથી ઘણાંને કેપંનીમાં તેમની વધતી જવાબદારી અને નવી કારોબારી તકમાં તેની સક્રિય ભાગીદારી માટે તેમને સારો એવો પગાર પણ મળે છે. ટોચની ભારતીય કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓનો સરેરાશ 20 કરોડ રૂપિયાના પગારની સામે નવી પેઢીના આ યુવા કારોબારીઓને પ્રમાણમાં ઓછી રકમ મળે છે છતાં પણ તેઓ કરોડોમાં રમી રહ્યા છે. આવો જાણીએ ટોચના ઉદ્યોગપતીઓના સંતાનોને કેટલો પગાર મળે છે.