શોધખોળ કરો
Jio Phoneની 1500 રૂપિયાની સિક્યોરિટી પરત મેળવવા માટે કરવો પડશે આટલો ખર્ચ, કંપનીએ રાખી નવી શરતો
1/5

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના 4જી ફીચર ફોનની ડિલિવરી શરૂ થઈ ગઈ છે. કંપનીએ 15 દિવસમાં ફોનની ડિલિવરી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. પહેલા ફોનને રૂરલ અને અર્બન વિસ્તારમાં ડિલીવર કરવામાં આવશે ત્યાર બાદ મેટ્રો સિટીમાં તેની ડિલીવરી શરૂ થશે. જો તમે પણ રિલાયન્સ જિઓનો 4જી ફીચર ફોન લીધો છો અને તમે એવું વિચારો છો કે 3 વર્ષ બાદ 1500 રૂપિયા કંપની પરત કરી દેશો તો તેના માટે શરત રાખવામાં આવી છે કે યૂઝરે દર વર્ષે ઓછામાં ઓછું 1500 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે.
2/5

જિયો ફોનના લોન્ચ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે 3 વર્ષ પછી ફોન પાછો આપવા પર ગ્રાહકને 1500 રુપિયા પાછા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ફોનની કિંમત 1500 રુપિયા છે. તે સમયે આ વાતનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો કે જિયો ફોન ખરીદનારા ગ્રાહકોએ 3 વર્ષ સુધી દર વર્ષે 1500 રુપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. કંપનીએ હવે આ વાતની જાણકારી આપી છે.
Published at : 28 Sep 2017 06:54 AM (IST)
View More























