શોધખોળ કરો

EDના અધિકારીની ઓળખ આપી એસ્ટ્રોલોજિસ્ટ  સાથે છેતરપીંડિ, જાણો કઈ રીતે 1.5 કરોડ રુપિયા ખંખેરી લીધા

અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ ED (Enforcement Directorate)ના ડિરેક્ટર તરીકે આપી કરોડો રુપિયાની  છેતરપિંડી કરી છે.

અમદાવાદ : અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ ED (Enforcement Directorate)ના ડિરેક્ટર તરીકે આપી કરોડો રુપિયાની  છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસમાં ફરિયાદ  નોંધાઈ છે. થલતેજ વિસ્તારમાં રહેતા એક  મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ  આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિએ પોતાની ઓળખ EDના ડિરેક્ટર તરીકે આપી હતી. આ વ્યક્તિએ તેમના ઉપરી અધિકારી  અને ક્લાયન્ટ્સને ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટ્સ આપવાનો વાયદો આપ્યો હતો અને પછી રુપિયા 1.5 કરોડની છેતરપિંડી કરી હતી. હાલ તો સેટેલાઈટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

EDમાં ડિરેક્ટર હોવાનું કહ્યું 

અમદાવાદ શહેરમાં રહેતા 40 વર્ષીય મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામ કરે છે. જ્યાં જ્યોતિષ અને પૂજા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમના એમ્પ્લોયર રવિ રાવ બોપલ વિસ્તારમાં રહે છે. ગયા માર્ચ મહિનામાં રવિ રાવ પોતાના ઘર માટે પેઈંગ ગેસ્ટ શોધી રહ્યા હતા. એ સમયે તેઓએ રિયલ્ટર્સનો સંપર્ક કર્યો હતો. ગઈ ત્રીજી માર્ચના રોજ એક રિયલ્ટરે તેમનો સંપર્ક કર્યો હતો અને ઓમવીર સિંહ નામના શખ્સ સાથે મુલાકાત કરાવી હતી. આ દરમિયાન ઓમવીર સિંહે એવું કહ્યું હતું કે, તેઓ IRS માં અધિકારી છે અને  EDમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.

સરકારી કોન્ટ્રાક્ટ્સ અપાવવાનો વાયદો કર્યો

બાદમાં ઓમવીર સિંહે એક વિઝીટિંગ કાર્ડ પણ આપ્યું હતું. ઓમવીર સિંહને રવિ રાવનું મકાન પસંદ આવ્યું હતું અને તેમણે આ મકાનના ભાડા પેટે રુપિયા બે લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું. ઓમવીર સિંહે રવિ રાવને એવું કહ્યું હતું કે સરકારમાં તેમની કેટલીક લિંક્સ છે અને તેઓ સરકારી કોન્ટ્રાક્ટ્સ અપાવી શકે છે. આ દરમિયાન રવિ રાવના પ્રદીપ ઝા નામના ક્લાયન્ટે રસ દાખવ્યો હતો. જે બાદ રાવે ઓમવીર સિંહનો સંપર્ક કર્યો હતો.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી

ઓમવીર સિંહે  રવિ રાવને કહ્યું હતું કે, સરકારી કોન્ટ્રાક્ટ માટે 1.5 કરોડ રુપિયા લેવામાં આવે છે. બાદમાં આ રુપિયાની ચૂકવણી કરી  દેવામાં આવી હતી. એ પછી ત્રણ મહિના સુધી આ મકાનમાં રહ્યા બાદ ઓમવીર સિંહે ભાડાનું મકાન ખાલી કરી નાખ્યું હતું. જ્યારે રવિ રાવે  સરકારી કોન્ટ્રાક્ટ માટે પૂછ્યું હતું. ત્યારે ઓમવીર સિંહે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. બાદમાં તેણે સંપર્ક પણ તોડી નાખ્યા હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ  સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે પણ આરોપીને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
અમદાવાદમાં ક્રૂર હત્યા: જમવામાં કીડી નીકળતા 4 મિત્રોએ ભેગા મળી મિત્રને રહેંસી નાખ્યો
અમદાવાદમાં ક્રૂર હત્યા: જમવામાં કીડી નીકળતા 4 મિત્રોએ ભેગા મળી મિત્રને રહેંસી નાખ્યો

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget