શોધખોળ કરો

Bharuch : યુવતીની હત્યાનું રહસ્ય ઘેરાયું, શકમંદ પતિની મળી આવી લાશ 

બુધવારે રાતે પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પત્નીની હત્યા કરી નાંખી હતી. હવે માતા-પિતાના મોતથી 3 દીકરીઓ નોંધારી બની છે. આ પરિવાર હજુ થોડા દિવસ પહેલા જ મહાવીરનગરમાં રહેવા આવ્યો હતો.

ભરુચઃ શહેરના મહાવીર નગરમાં ખૂદ પતિએ જ પત્નીની પાવડાના ઘા મારીને હત્યા કરવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પત્નીની હત્યાના બીજા દવિસે પતિની તળાવમાંથી લાશ મળી આવી છે. ત્યારે હવે પત્નીની હત્યા પછી પતિએ આત્મહત્યા કરી કે પછી અન્ય રીતે મોત થયું તેને લઈને રહસ્ય ઘેરાયું છે. 

નોંધનીય છે કે, બુધવારે રાતે પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પત્નીની હત્યા કરી નાંખી હતી. હવે માતા-પિતાના મોતથી 3 દીકરીઓ નોંધારી બની છે. આ પરિવાર હજુ થોડા દિવસ પહેલા જ મહાવીરનગરમાં રહેવા આવ્યો હતો. મૂળ કરજણના અને થોડા દિવસથી ભરુચના મહાવીરનગરમાં રહેતા પરિવારમાં પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકે 12 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને લગ્ન સંબંધથી તેમને 3 દીકરીઓ છે. લગ્ન પછી તેઓ ભરુચ રહેવા આવી ગયા હતા. જોકે, પતિ પહેલાથી જ શંકાશીલ સ્વભાવનો હોવાથી પત્નીને ઘરની બહાર જવા પર પ્રતિબંધ લગાવેલો હતો અને કોઈ સાથે વાતચીત ન કરવા પણ પત્નીને સૂચના આપેલી હતી. 

આમ છતાં પણ પત્નીના અન્ય યુવક સાથે આડાસંબંધની શંકા રાખી પત્ની સાથે મારઝૂડ કરતો હતો. ત્યારે ગત રમજાન માસમાં પત્નીને માર મારતાં ભાઈ બહેન અને ત્રણેય ભાણીને ઘરે લઈ આવ્યો હતો. આ પછી સમજાવટ થતાં ફરીથી તમામને પતિ સાથે મોકલ્યા હતા. 

તેમજ તેઓ થોડા સમય પહેલા મહાવીરનગર ખાતે રહેવા આવ્યા હતા. દરમિયાન ગત બુધવારે રાતે પતિ-પત્ની વચ્ચે ફરી આડાસંબંધની શંકાને પગલે ઝઘડો થયો હતો. આ સમયે પતિએ ઉશ્કેરાઇને પત્નીના માથામાં પાવડાના ઘા મારતાં તેનું મોત નીપજ્યું હતું. પત્નીનું મોત થતાં પતિ ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસ આરોપી પતિ સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે, હવે શકમંદ પતિની લાશ મળી આવતાં હત્યાનું રહસ્યું ઘુંટાઇ રહ્યું છે. 

ગઈ કાલે શુક્રવારે બપોરના સમયે પરિણીતાના પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ત્રણ કલાકની જહેમત પછી લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવી છે. લાશનો બાંધો અને પહેરેલા કપડા પરથી મૃતકની ઓળખ કરવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
Embed widget