શોધખોળ કરો

Crime News: ઝઘડિયામાં ગરબા ગ્રાઉન્ડમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સગીરાના ગળા પર મૂકી છરીને પછી......

Gujarat Crime News: પાગલ પ્રેમીએ સગીરાને બાથમાં લઇ ગળા ઉપર ચપ્પું મૂકી તું મારી જોડે નથી બોલતી એટલે જાનથી મારી નાંખીશ કહી બાનમાં લીધી હતી.

Gujarat News:  કોરોનાકાળના બે વર્ષ બાદ ચાલુ વર્ષે રાજ્યમાં ગરબાના મોટા પાયે આયોજન થયા છે. જોકે આ વખતે ગરબામાં માથાકૂટની ઘટનાઓ પણ આવી છે. આ દરમિયાન ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડ પર એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાને સગીરાના ગળા પર ચપ્પું મૂક્યું હતું.

પાગલ પ્રેમીએ સગીરાને બાથમાં લઇ ગળા ઉપર ચપ્પું મૂકી તું મારી જોડે નથી બોલતી એટલે જાનથી મારી નાંખીશ કહી બાનમાં લીધી હતી. આ સમયે સગીરાને છોડાવવા પડેલા ઉપર પણ યુવકે હુમલો કર્યો હતો. સગીરાને ચપ્પુના ઘા વાગતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વાઘોડિયાના જરોદમા યુવાન પર ખંજરથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું

વાઘોડિયાનાં જરોદમાં એકજ સમાજના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો. ગત રાત્રે વહાણવટી માતાજીના મંદિરે જ્વારા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલતો બીચકતાં યુવાન પર ખંજરથી હુમલો કરીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. અર્જુન ભાલીયા (ઉ.વ.25) નામના યુવાનપર અન્ય યુવાને ખંજરથી હુમલો કર્યો હતો. ખંજરના તીક્ષ્ણ ઘાથી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવાનની હત્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

માતરના ઉંઢેરા ગામમાં ગરબા દરમિયાન બબાલ

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો  છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં

પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ

પોલીસની હાજરીમાં  કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.

સાવલીમાં પણ પથ્થરમારો

ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.