શોધખોળ કરો

Rajkot : સાધુની ગળું કાપીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવતાં મચી ગયો ખળભળાટ

રાજકોટ જામનગર હાઈવે પર પરાપીપળીયા ગામથી એક કિ.મી. દૂરથી આ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસે હત્યા અંગે તપાસ હાથ ધરી છે. હત્યાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે.

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સાધુની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. દિવાળી પહેલા એક સાધ્વીની તેમના જ ચેલા દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી, ત્યારે હવે સાધુની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. ગળુ કાપીને સાધુની હત્યા કરવામાં આવી છે. પરાપિપળીયા વિસ્તારની ઘટના છે. પોલીસે હત્યા અંગે તપાસ હાથ ધરી છે. 

હત્યાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. જોકે, આ સાધુ કોણ છે તેની હજુ કોઈ ઓળખ થઈ નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટ જામનગર હાઈવે પર પરાપીપળીયા ગામથી એક કિ.મી. દૂરથી આ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા કરી લાશ કોથળામાં પેક કરી ફેંકી દેવામાં આવી.

અમરેલીઃ રાજુલા ખાખબાઈ ગામે આવેલ ચામુંડા આશ્રમના સાધ્વી રેખાબેનની કુવાડાના 20-20 ઘા મારીને હત્યા કરેલ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તાર અને સેવક સમુદાયમાં અરેરાટી ફેલાઈ ગઈ. સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે રાજુલા સરકારી દવાખાને ખસેડાયો છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે કવાયત હાથ ધરી છે. મૃતક સાધ્વીના બહેને રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

 

ખાખબાઈ ગામે આવેલ ચામુંડા આશ્રમમાં નમો નારાયણના નામથી છેલ્લા 15 વર્ષથી પૂજા કરી રહેલા સાધ્વી રેખાબેન રાવળદેવ રહેતા હતા અને સાંજના સમયે જ્યારે ગાય દોહ્વા ગયા ત્યારે તેમના શિષ્ય અરવિંદભાઈ ડાભી સંતાઈને બેઠા હતા અને તિક્ષ્ણ હથિયારના એકથી વધારે ઘા મારી પોતાના ગુરુ નમો નારાયણ ઉર્ફે રેખાબેનનું મોત નિપજાવ્યું, જેની ફરિયાદ રાજુલા પોલીસ મથકે મૃતક સાધ્વીના બહેન મધુબેન રાવળદેવે લખાવી છે. 

 

સાધ્વીની હત્યાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સરકારી હોસ્પિટલે પહોંચ્યા. મૃતક સાધ્વીના પરિવાર સાથે વાતચીત કરી. છેલ્લા 15 વર્ષથી આશ્રમમાં રહી પૂજા કરી રહેલા દશનામ અખાડાના સાધ્વીજીનું તાત્કાલિક તેમનું પીએમ થાય એવી તજવીજ હાથ ધરી.સાધ્વીજીના પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ, તેમના કહેવાતા ચલાએ પૈસાની લેતી-દેતી બાબતે વેર ઝેર રાખી તેમની હત્યા કરી હોવાનું પરિવારના સભ્યશ્રી એ જણાવ્યું હતું. સ્થાનિક ગ્રામજનો પાસેથી જે માહિતી મળી છે તેના આધારે વાત કરીએ તો છરી અને કૂવાડા ૨૦થી વધુ ઘા મારી ઘાતકી હત્યા કરી હોવાની પણ વાતો સામે આવી રહી છે. 

 

ખાખબાઈના ચામુંડા આશ્રમના સાધ્વીની સાંજના સમયે તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરનાર આજ આશ્રમમાં રહેતો અને અવારનવાર સાધ્વીજી પાસે આશ્રમની જમીન આપવાની માંગ કરતો. છેલ્લા પંદર દિવસથી આશ્રમથી જતો રહ્યો હોય. ગઈ કાલે સાંજના સમયે આવી સાધ્વીજી જ્યારે ગાય દોહ્વા બેઠા હતા તે સમયે આ અરવિંદ ગોબરભાઇ ડાભી નામના શખ્સે હત્યા કરી હોવાનું સાધ્વીજીના બહેને રાજુલા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.હાલ આરોપીને પકડી લેવા ના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
Embed widget