શોધખોળ કરો

Surat: પ્રેમી ઘરમાં જ મહિલા સાથે માણતો શરીર સુખ ને મારઝૂડ કરતો, યુવક માતાના પ્રેમીને ફરવા લઈ ગયો બહાર ને.....

યુવકે પોતાની માતા સાથે શરીર સંબંધ ધરાવતા પુરૂષને મજા કરવાના બહાને લઈ જઈને મિત્રો સાથે મળીને હત્યા કરી નાંખી હતી.

સુરતઃ યુવકે પોતાની માતા સાથે શરીર સંબંધ ધરાવતા પુરૂષને મજા કરવાના બહાને લઈ જઈને મિત્રો સાથે મળીને હત્યા કરી નાંખી હતી. વર્ષ 2014માં બનેલી આ ઘટનામાં ફરાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે.

આ ઘટનામાં જે પુરૂષને માતા સાથે  આડાસંબંધ હતા તે પુરૂષ ઘરમાં જ આવીને માતા સાથે શરીર સુખ માણતો હતો. સાથે સાથે ઘરમાં બધા પર ત્રાસ ગુજારતો હતો. આ બધાથી કંટાળેલો યુવક માતાના પ્રેમીને  ફરવા અને મોજશોખ કરવાની લાલચ આપી મહારાષ્ટ્રના અમલનેર લઈ ગયો હતો અને  ત્યાં હત્યા કરી નાંખી હતી. ત્યારથી ફરાર આ  હત્યારાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મહારાષ્ટ્રની અમલનેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વર્ષ 2014ના ચકચારી અને નહીં ઉકેલાયેલા મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢી 2014થી નાસતા ફરતા હત્યારા વાલ્મીક ઉર્ફે આબા રમેશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, પોતે માતા અને બહેન સાથે પાંડેસરા મરાઠા નગરમાં રહેતો હતો ત્યારે તેની માતા જીઆઈડીસી મિલમાં મજુરી કરતી હતી.  તે સમયે ગધાનગર ઝુપડપટ્ટીમાં રહેતા અશોક યાદવ સાથે પ્રેમ સંબંધ થયો હતો અને બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હતા.

અશોક યાદવ તેમના ઘરે આવી માતા સાથે શરીર સુખ માણતો હતો. યાદવ માતા  પર શંકા-વહેમ રાખી મારઝૂડ કરતો હતો. ઘરનાં સભ્યો વચ્ચે પડતા તો  ઘરના સભ્યોને પણ અશોક યાદવ ત્રાસ આપતો હતો.

આ બધાથી કંટાલેલા વાલ્મીક ઉર્ફે આબા પોતાના મિત્રો પિન્ટીયો અને ટકલીયો સાથે મળી અશોક યાદવને ફરવા અને મોજશોખ કરવા જવાનું કહી મહારાષ્ટ્રના અમલનેર ખાતે લઈ ગયા હતા. અમલનેર ખાતે અશોક યાદવે વાલ્મીક ચૌધરી તથા તેના મિત્રો પિન્ટીયો તથા ટકલીયાને ગાળો આપતા ત્રણેયે અશોક યાદવ સાથે ઝઘડો કરી રેલ્વે સ્ટેશનથી દુર મંગલગૃહ મંદિર પાસે લઈ જઈ પથ્થરો મારી તેની હત્યા કરી નાંખી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે આઠ વર્ષથી હત્યા કરી નાસ્તા ફરતા હત્યારાને ઝડપી પાડી તેનો કબ્જો મહારાષ્ટ્ર જલગાંવની અમલનેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
Embed widget