શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

Agniveer: સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે.

Agnipath Scheme: ભારતીય સેના ઈચ્છે છે કે ચાર વર્ષ પછી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. જો કે, અગ્નિપથ યોજના હેઠળ, એવો નિયમ છે કે ચાર વર્ષ પછી મહત્તમ 25% અગ્નિવીરોને જ કાયમી સૈનિક બનવાનો વિકલ્પ આપવામાં આવશે. સેનાએ આ અંગે સરકાર સમક્ષ પોતાની માંગણી મૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ સંબંધમાં ફાઇલ મોકલવામાં આવી હતી પરંતુ સેનાની આ માંગને ઠુકરાવી દેવામાં આવી હતી. હવે ફરી સેના આ મામલાને આગળ લઈ જઈ રહી છે.

દરેક બેચમાંથી 50% અગ્નિવીર કાયમી હોવા જોઈએ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ સૈનિકોની ભરતીમાં જે ધોરણો રાખવામાં આવ્યા હતા તે જ અગ્નિવીર માટે છે. અમે ગુણવત્તા સાથે સમાધાન કરી રહ્યા નથી. 50% અગ્નિવીરોને કાયમી કરવા ઉપરાંત, સેનાએ સરકારને એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે અગ્નિવીરોની ભરતી ઝડપી ગતિએ થવી જોઈએ. એટલે કે એક વર્ષમાં ભરતી માટે જે સંખ્યા નક્કી કરવામાં આવી છે તે વધારવી જોઈએ જેથી કરીને સેનામાં સૈનિકોની અછતને ઝડપથી ભરી શકાય.


Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

પ્રથમ વર્ષે 40 હજાર અગ્નિવીરોની ભરતી

કોવિડના કારણે બે વર્ષથી સેનામાં ભરતી થઈ શકી નથી. જ્યારે તે પહેલા દર વર્ષે લગભગ 80 હજાર સૈનિકોની ભરતી થતી હતી. આના કારણે સેનામાંથી નિવૃત્ત થયેલા સૈનિકો અને સેનામાં જોડાનારાઓની સંખ્યામાં સંતુલન જાળવવામાં આવ્યું હતું. ગયા વર્ષે જ્યારે અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી, ત્યારે પ્રથમ વર્ષમાં 40 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારપછી આ સંખ્યા ધીમે ધીમે વધારવાની છે અને વર્ષ 2026 સુધીમાં કુલ 1 લાખ 75 હજાર અગ્નિવીરોની સેનામાં ભરતી થવાની છે. જ્યારે અત્યારે સેનામાં લગભગ 1.5 લાખ સૈનિકોની અછત છે અને દર વર્ષે સૈનિકો નિવૃત્ત પણ થાય છે.

દર વર્ષે 60 હજાર સૈનિકો થાય છે નિવૃત્ત

આગામી 4-5 વર્ષોમાં સૈનિકોની 50,000-60,000 હશે અને તે પછીથી વધીને 90,000-1 લાખ થશે. અમે સ્કીમનું પૃથ્થકરણ કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા વધારવા માટે 46,000થી શરૂઆત કરી છે, એમ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગભગ 60,000 સૈનિકો નિવૃત્ત થાય છે.


Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

ત્રણ સેવાઓમાં સૈનિકોની છે તીવ્ર અછત

2021માં, સંસદને ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં અનુક્રમે 1.18 લાખ, 11,587 અને 5,819 સૈનિકોની અછત વિશે જાણ કરવામાં આવી હતી.  

ટેક્નિકલ ભરતમાં મહત્તમ વય 23 વર્ષ કરવા વિચારણા

સેના અગ્નિવીરોની ભરતીમાં ટેકનિકલ ભરતી માટેની મહત્તમ ઉંમર 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવા પર પણ વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના એવા યુવાનોની ભરતી કરી રહી છે જેમણે તેમાં આઈટીઆઈ અને ટેકનિકલ કોર્સ કર્યા છે અને વય મર્યાદા 21 વર્ષની હોવાથી બહુ વિકલ્પો ઉપલબ્ધ નથી. તેથી તેને વધારી શકાય છે. અગ્નિપથ યોજના પહેલા પણ જ્યારે સૈનિકોની ટેકનિકલ ભરતી કરવામાં આવતી હતી ત્યારે મહત્તમ વય મર્યાદા 23 વર્ષની હતી. અગ્નિપથ યોજનામાં આ ઘટાડો કરવામાં આવ્યો હતો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget