શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

Agniveer: સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે.

Agnipath Scheme: ભારતીય સેના ઈચ્છે છે કે ચાર વર્ષ પછી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. જો કે, અગ્નિપથ યોજના હેઠળ, એવો નિયમ છે કે ચાર વર્ષ પછી મહત્તમ 25% અગ્નિવીરોને જ કાયમી સૈનિક બનવાનો વિકલ્પ આપવામાં આવશે. સેનાએ આ અંગે સરકાર સમક્ષ પોતાની માંગણી મૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ સંબંધમાં ફાઇલ મોકલવામાં આવી હતી પરંતુ સેનાની આ માંગને ઠુકરાવી દેવામાં આવી હતી. હવે ફરી સેના આ મામલાને આગળ લઈ જઈ રહી છે.

દરેક બેચમાંથી 50% અગ્નિવીર કાયમી હોવા જોઈએ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ સૈનિકોની ભરતીમાં જે ધોરણો રાખવામાં આવ્યા હતા તે જ અગ્નિવીર માટે છે. અમે ગુણવત્તા સાથે સમાધાન કરી રહ્યા નથી. 50% અગ્નિવીરોને કાયમી કરવા ઉપરાંત, સેનાએ સરકારને એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે અગ્નિવીરોની ભરતી ઝડપી ગતિએ થવી જોઈએ. એટલે કે એક વર્ષમાં ભરતી માટે જે સંખ્યા નક્કી કરવામાં આવી છે તે વધારવી જોઈએ જેથી કરીને સેનામાં સૈનિકોની અછતને ઝડપથી ભરી શકાય.


Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

પ્રથમ વર્ષે 40 હજાર અગ્નિવીરોની ભરતી

કોવિડના કારણે બે વર્ષથી સેનામાં ભરતી થઈ શકી નથી. જ્યારે તે પહેલા દર વર્ષે લગભગ 80 હજાર સૈનિકોની ભરતી થતી હતી. આના કારણે સેનામાંથી નિવૃત્ત થયેલા સૈનિકો અને સેનામાં જોડાનારાઓની સંખ્યામાં સંતુલન જાળવવામાં આવ્યું હતું. ગયા વર્ષે જ્યારે અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી, ત્યારે પ્રથમ વર્ષમાં 40 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારપછી આ સંખ્યા ધીમે ધીમે વધારવાની છે અને વર્ષ 2026 સુધીમાં કુલ 1 લાખ 75 હજાર અગ્નિવીરોની સેનામાં ભરતી થવાની છે. જ્યારે અત્યારે સેનામાં લગભગ 1.5 લાખ સૈનિકોની અછત છે અને દર વર્ષે સૈનિકો નિવૃત્ત પણ થાય છે.

દર વર્ષે 60 હજાર સૈનિકો થાય છે નિવૃત્ત

આગામી 4-5 વર્ષોમાં સૈનિકોની 50,000-60,000 હશે અને તે પછીથી વધીને 90,000-1 લાખ થશે. અમે સ્કીમનું પૃથ્થકરણ કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા વધારવા માટે 46,000થી શરૂઆત કરી છે, એમ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગભગ 60,000 સૈનિકો નિવૃત્ત થાય છે.


Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

ત્રણ સેવાઓમાં સૈનિકોની છે તીવ્ર અછત

2021માં, સંસદને ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં અનુક્રમે 1.18 લાખ, 11,587 અને 5,819 સૈનિકોની અછત વિશે જાણ કરવામાં આવી હતી.  

ટેક્નિકલ ભરતમાં મહત્તમ વય 23 વર્ષ કરવા વિચારણા

સેના અગ્નિવીરોની ભરતીમાં ટેકનિકલ ભરતી માટેની મહત્તમ ઉંમર 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવા પર પણ વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના એવા યુવાનોની ભરતી કરી રહી છે જેમણે તેમાં આઈટીઆઈ અને ટેકનિકલ કોર્સ કર્યા છે અને વય મર્યાદા 21 વર્ષની હોવાથી બહુ વિકલ્પો ઉપલબ્ધ નથી. તેથી તેને વધારી શકાય છે. અગ્નિપથ યોજના પહેલા પણ જ્યારે સૈનિકોની ટેકનિકલ ભરતી કરવામાં આવતી હતી ત્યારે મહત્તમ વય મર્યાદા 23 વર્ષની હતી. અગ્નિપથ યોજનામાં આ ઘટાડો કરવામાં આવ્યો હતો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા: જાણો હવે 1 મહિનામાં અને આખા વર્ષમાં કેટલા બાટલા મળશે?
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા: જાણો હવે 1 મહિનામાં અને આખા વર્ષમાં કેટલા બાટલા મળશે?
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Embed widget