શોધખોળ કરો

Aadhar Card Details: આધાર કાર્ડની આ જાણકારી ફક્ત એક જ વખત સુધારી શકશો, ધ્યાન નહી રાખો તો હંમેશા રહેશે ખોટી

Aadhar Card Details: આધાર કાર્ડનો ઉપયોગ વિવિધ સેવાઓ અને સબસિડી માટે થઈ શકે છે

Aadhar Card Details: આધાર કાર્ડ ભારતમાં સત્તાવાર ઓળખ પ્રમાણપત્ર તરીકે મહત્વપૂર્ણ છે, અને તે વ્યક્તિની ઓળખ ચકાસવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે. જો કે આધાર કાર્ડનો ઉપયોગ વિવિધ સેવાઓ અને સબસિડી માટે થઈ શકે છે, પરંતુ તેમાં રહેલી માહિતીને બદલવાની પ્રક્રિયા પર કેટલાક નિયંત્રણો છે.

આ માત્ર એક જ વાર બદલી શકાય

આધાર કાર્ડમાં જન્મતારીખ અને લિંગ સંબંધિત માહિતી માત્ર એક જ વાર બદલી શકાશે. આધાર કાર્ડમાં નામ બે વાર અપડેટ કરી શકાય છે. UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારક હવે માત્ર બે વાર જ આધાર કાર્ડ પર પોતાનું નામ બદલી શકશે. આધાર કાર્ડમાંનું સરનામું ઘણી વખત અપડેટ કરી શકાય છે. સરનામું બદલવા માટે તમારે અમુક દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, રાશન કાર્ડ, વિકલાંગતા કાર્ડ (જો કોઈ હોય તો), કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ SC/ST/OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ અથવા પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર છે.

ત્રણ કરતા વધુ વખત ફેરફારો માટે અહીં જવું પડશે

ત્રીજી વખત તમારું નામ અપડેટ કરવા માટે તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને તેને અપડેટ કરી શકો છો. આ પછી તમે અપવાદ હેઠળ અપડેટની મંજૂરી માટે UIDAIની સંબંધિત પ્રાદેશિક કચેરીનો સંપર્ક કરી શકો છો. આ નિયમ આધાર કાર્ડની માહિતીનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવામાં મદદ કરે છે અને તે વ્યક્તિની ઓળખને મજબૂત બનાવે છે. આધાર કાર્ડ સાથે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે અને તેની સુરક્ષા હંમેશા જાળવવી જોઈએ. તમારે તમારું આધાર કાર્ડ અને તેની સંબંધિત માહિતી ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ નહીં. ખાસ કરીને આધાર કાર્ડને લઈને મોબાઈલ પર મળતા OTP. આ તમારી અંગત માહિતીને સાર્વજનિક કરી શકે છે, જેનાથી તમારા નુકસાનની શક્યતા વધી જાય છે.

UIDAI એ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના સુધી લંબાવી છે. 14 ડિસેમ્બર સુધી આધારકાર્ડને ફ્રીમાં અપડેટ કરી શકો છો. અગાઉ આ સમયમર્યાદા 14 જૂન સુધી હતી, પરંતુ તેને 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “વધુમાં વધુ લોકોને આધાર સાથે સંબંધિત તેમના દસ્તાવેજો અપડેટ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી, myAadhaar પોર્ટલ દ્વારા, આધારમાં તેમના દસ્તાવેજોને અપડેટ કરી શકાય છે. મફત અપડેટ કરવાની સુવિધા 14 સપ્ટેમ્બર સુધી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે નાગરિકોના સકારાત્મક પ્રતિસાદને જોતા હવે આ સુવિધાને વધુ ત્રણ મહિના એટલે કે 15 સપ્ટેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, myAadhaar પોર્ટલ દ્વારા દસ્તાવેજોના મફત અપડેટની સુવિધા હવે 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPSCમાં બમ્પર ભરતી, કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયોમાં મળશે નોકરી; આ રીતે કરો અરજી
UPSCમાં બમ્પર ભરતી, કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયોમાં મળશે નોકરી; આ રીતે કરો અરજી
SSC CGL Last Date: આજે SSC CGL ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ સમયે અંતિમ વિન્ડો થઈ જશે બંધ
SSC CGL Last Date: આજે SSC CGL ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ સમયે અંતિમ વિન્ડો થઈ જશે બંધ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
Embed widget