શોધખોળ કરો

Aadhar Card Details: આધાર કાર્ડની આ જાણકારી ફક્ત એક જ વખત સુધારી શકશો, ધ્યાન નહી રાખો તો હંમેશા રહેશે ખોટી

Aadhar Card Details: આધાર કાર્ડનો ઉપયોગ વિવિધ સેવાઓ અને સબસિડી માટે થઈ શકે છે

Aadhar Card Details: આધાર કાર્ડ ભારતમાં સત્તાવાર ઓળખ પ્રમાણપત્ર તરીકે મહત્વપૂર્ણ છે, અને તે વ્યક્તિની ઓળખ ચકાસવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે. જો કે આધાર કાર્ડનો ઉપયોગ વિવિધ સેવાઓ અને સબસિડી માટે થઈ શકે છે, પરંતુ તેમાં રહેલી માહિતીને બદલવાની પ્રક્રિયા પર કેટલાક નિયંત્રણો છે.

આ માત્ર એક જ વાર બદલી શકાય

આધાર કાર્ડમાં જન્મતારીખ અને લિંગ સંબંધિત માહિતી માત્ર એક જ વાર બદલી શકાશે. આધાર કાર્ડમાં નામ બે વાર અપડેટ કરી શકાય છે. UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારક હવે માત્ર બે વાર જ આધાર કાર્ડ પર પોતાનું નામ બદલી શકશે. આધાર કાર્ડમાંનું સરનામું ઘણી વખત અપડેટ કરી શકાય છે. સરનામું બદલવા માટે તમારે અમુક દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, રાશન કાર્ડ, વિકલાંગતા કાર્ડ (જો કોઈ હોય તો), કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ SC/ST/OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ અથવા પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર છે.

ત્રણ કરતા વધુ વખત ફેરફારો માટે અહીં જવું પડશે

ત્રીજી વખત તમારું નામ અપડેટ કરવા માટે તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને તેને અપડેટ કરી શકો છો. આ પછી તમે અપવાદ હેઠળ અપડેટની મંજૂરી માટે UIDAIની સંબંધિત પ્રાદેશિક કચેરીનો સંપર્ક કરી શકો છો. આ નિયમ આધાર કાર્ડની માહિતીનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવામાં મદદ કરે છે અને તે વ્યક્તિની ઓળખને મજબૂત બનાવે છે. આધાર કાર્ડ સાથે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે અને તેની સુરક્ષા હંમેશા જાળવવી જોઈએ. તમારે તમારું આધાર કાર્ડ અને તેની સંબંધિત માહિતી ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ નહીં. ખાસ કરીને આધાર કાર્ડને લઈને મોબાઈલ પર મળતા OTP. આ તમારી અંગત માહિતીને સાર્વજનિક કરી શકે છે, જેનાથી તમારા નુકસાનની શક્યતા વધી જાય છે.

UIDAI એ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના સુધી લંબાવી છે. 14 ડિસેમ્બર સુધી આધારકાર્ડને ફ્રીમાં અપડેટ કરી શકો છો. અગાઉ આ સમયમર્યાદા 14 જૂન સુધી હતી, પરંતુ તેને 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “વધુમાં વધુ લોકોને આધાર સાથે સંબંધિત તેમના દસ્તાવેજો અપડેટ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી, myAadhaar પોર્ટલ દ્વારા, આધારમાં તેમના દસ્તાવેજોને અપડેટ કરી શકાય છે. મફત અપડેટ કરવાની સુવિધા 14 સપ્ટેમ્બર સુધી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે નાગરિકોના સકારાત્મક પ્રતિસાદને જોતા હવે આ સુવિધાને વધુ ત્રણ મહિના એટલે કે 15 સપ્ટેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, myAadhaar પોર્ટલ દ્વારા દસ્તાવેજોના મફત અપડેટની સુવિધા હવે 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Embed widget