![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana School Reopening: દેશના આ મોટા રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી સ્કૂલો ફરી થશે શરૂ, જાણો વિગત
Telangana School Reopening: કોરોનાનો કહેર ઓછો થવાની સાથે દેશના ઘણા રાજ્યોમાં સ્કૂલો ફરીથી શરૂ થઈ રહી છે.
![Telangana School Reopening: દેશના આ મોટા રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી સ્કૂલો ફરી થશે શરૂ, જાણો વિગત Telangana School Reopening: All educational institutions to reopen in Telangana from February 1 Telangana School Reopening: દેશના આ મોટા રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી સ્કૂલો ફરી થશે શરૂ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/0114e36223415b439b1f0f279b9ac843_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana School Reopening: કોરોનાનો કહેર ઓછો થવાની સાથે દેશના ઘણા રાજ્યોમાં સ્કૂલો ફરીથી શરૂ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં સ્કૂલો શરૂ થયા બાદ કર્ણાટકમાં પણ 1 ફેબ્રુઆરીથી સ્કૂલો શરૂ થશે. આ ઉપરાંત વધુ એક રાજ્યએ 1 ફેબ્રુઆરીથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો ફેંસલો કર્યો છે. તેલંગાણામાં 1 ફેબ્રુઆરીથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ થશે, એમ રાજ્યના શિક્ષણ પ્રધાન પી સબિતા ઇન્દ્ર રેડ્ડીએ જણાવ્યું હતું.
તેલંગાણામાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, તેલંગાણામાં કોરોનાના એક્ટિવ કેસ 40,414 છે. જ્યારે 7,10,479 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. તેલંગાણામાં કોરોનાથી 4083 લોકોના મોત થયા છે.
All educational institutions to reopen in Telangana from February 1, says State Education Minister P Sabitha Indra Reddy
— ANI (@ANI) January 29, 2022
કર્ણાટકમાં 31 જાન્યુઆરીથી ઉઠાવી લેવાશે Night Curfew
કર્ણાટક સરકારે શનિવારથી રાજ્યમાં કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે 31 જાન્યુઆરીથી રાત્રિ કર્ફયૂ ખતમ કરવાનો ફેંસલો લીધો છે. રાજધાની બેંગલુરુમાં સોમવારે તમામ સ્કૂલો ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે સ્કૂલોમાં કોરોના વાયરસ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત હોટલ, પબ, બાર, જીમને 50 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવશે. હાલ સિનેમા હોલ સંપૂર્ણ બંધ રહેશે. લગ્ન સમારોહોમાં 300 લોકો સામેલ થઈ શકશે. સરકારી ઓફિસો 100 ટકા ક્ષમતા સાથે કામ કરશે. મંદિરમાં પૂજા પણ થઈ શકશે. ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડાઓ બંધ રહેશે. ગોવા, કેરળ અને મહારાષ્ટ્રથી આવનારા લોકોએ કોરોના ટેસ્ટનું નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે. કર્ણાટકમાં હાલ 2.88 લાખ એક્ટિવ કેસ છે, જેમાંથી 5477 લોકો હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં કોરોના દર્દીનો હોસ્પિટલમાં ભરતી થવાનો દલ 1.90 ટકા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 20,04,333 થઇ ગઇ છે. તે સિવાય છેલ્લા 24 કલાકમાં 3,35,939 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. તે સિવાય અત્યાર સુધીમા 1,65,04,87,260 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)