શોધખોળ કરો

Election: શું અમેરિકામાં રહેતા ભારતીયો લોકસભા ચૂંટણીમાં મત આપી શકે? જાણો નિયમ

2024 Lok Sabha Election: અમેરિકા સહિત અન્ય દેશોમાં રહેતા ભારતીય નાગરિકો મતદાન કરી શકશે કે નહીં?

2024 Lok Sabha Election: ભારતમાં હવે લોકસભાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે અમેરિકા સહિત અન્ય દેશોમાં રહેતા ભારતીય નાગરિકો મતદાન કરી શકશે કે નહીં? અન્ય દેશોમાં સ્થાયી થયેલા ભારતીયોને ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તેમણે ભારતીય નાગરિકતાનો ત્યાગ ના કર્યો હોય.

 2010 સુધી અન્ય દેશોમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકોને ભારતમાં મતદાન કરવાનો અધિકાર નહોતો. અત્યારે તેમને મત આપવાનો અધિકાર છે, પરંતુ એક શરત પણ છે. અને તે શરત એ છે કે તેઓએ મતદાન કરવા માટે મતદાન મથક પર આવવું પડશે.

NRI લાંબા સમયથી રિમોટ વોટિંગની માંગ કરી રહ્યા છે. જેથી તેઓ જ્યાં હોય ત્યાંથી જ ભારતમાં યોજાનારી ચૂંટણીમાં પોતાનો મત આપી શકે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ માટેની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

NRI ને મતદાનનો અધિકાર છે

2010 પહેલા વિદેશમાં રહેતા ભારતીયોને મત આપવાનો અધિકાર નહોતો. ત્યારે નિયમ એવો હતો કે જો કોઈ ભારતીય છ મહિનાથી વધુ સમયથી વિદેશમાં રહેતો હોય તો તેનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. પાછળથી 2010માં લોકોના પ્રતિનિધિત્વ કાયદામાં સુધારો કરવામાં આવ્યો. આ પછી એનઆરઆઈને પણ મતદાનનો અધિકાર મળ્યો.

મત આપવાનો અધિકાર તો મળી ગયો પરંતુ ત્યાં એક મુશ્કેલી છે. આરપી એક્ટની કલમ 20A મુજબ, તમારે તમારો મત આપવા માટે મતદાન મથક પર આવવું પડશે. એટલે કે એનઆરઆઈ મતદાન કરી શકે છે, પરંતુ મતદાન મથક પર આવીને જ મતદાન કરી શકે છે. જેના કારણે મોટાભાગના NRI મતદાનથી વંચિત રહી જાય છે.

આ રીતે મતદાર યાદીમાં નામ ઉમેરી શકાશે

અભ્યાસ, નોકરી કે અન્ય કોઈ હેતુસર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો તેમના નામ મતદાર યાદીમાં નોંધણી કરાવી શકે છે. 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ NRI ફોર્મ 6A ભરીને આ કરી શકે છે.

આ ફોર્મ ચૂંટણી પંચની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાંથી પણ મફતમાં લઈ શકાય છે.

પરંતુ કોઈપણ NRI ભારતમાં જ્યાં રહેતો હોય ત્યાં જ તેનું નામ મતદાર યાદીમાં નોંધણી કરાવી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ NRI મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનો રહેવાસી છે અને તેનું ઘર ગોવિંદપુરા વિધાનસભામાં આવે છે, તો તેનું નામ અહીંની મતદાર યાદીમાં જ નોંધવામાં આવશે.

ફોર્મ 6A ભર્યા પછી તે પોસ્ટ દ્વારા સંબંધિત ચૂંટણી નોંધણી અધિકારીને મોકલી શકાય છે. તે ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ઓનલાઈન પણ સબમિટ કરી શકાશે. તમામ રજિસ્ટ્રેશન અધિકારીઓના નામ અને નંબર પણ વેબસાઇટ પર જ ઉપલબ્ધ હશે.

મતદાર યાદીમાં તેમનું નામ આવ્યા બાદ એનઆરઆઈને પણ મત આપવાનો અધિકાર મળે છે. મતદાનના દિવસે તમે મતદાન મથક પર જઈને તમારો મત આપી શકો છો. તમારો પાસપોર્ટ તમારી સાથે રાખવો મહત્વપૂર્ણ છે.

શું તમે ઓનલાઈન વોટ કરી શકતા નથી?

હાલમાં વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે કોઈ ઓનલાઈન વોટિંગની સુવિધા નથી.

હાલમાં માત્ર ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ, સેનાના કર્મચારીઓ અથવા વિદેશમાં કામ કરતા સરકારી અધિકારીઓ જ ઈલેક્ટ્રોનિક અથવા પોસ્ટ દ્વારા મતદાન કરી શકે છે. આને સર્વિસ વોટર્સ  કહેવામાં આવે છે.

સર્વિસ વોટર્સ ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ એટલે કે ETPBS દ્વારા તેમનો મત આપે છે. પોસ્ટલ બેલેટ પ્રથમ સર્વિસ વોટરને ETPBS મારફતે મોકલવામાં આવે છે. તે પછી સર્વિસ વોટર તેને ડાઉનલોડ કરીને પોતાનો મત આપે છે. આ પછી તેને ઈમેલ અથવા પોસ્ટ દ્વારા રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે.

માહિતી અનુસાર, 2019ની ચૂંટણીમાં 18 લાખથી વધુ પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 10.84 લાખ લોકોએ તેને ભરીને મોકલ્યા હતા. એટલે કે 60 ટકાથી વધુ વોટ ETBPS દ્વારા પડ્યા હતા.

ચૂંટણી પંચ અને સરકાર એનઆરઆઈ માટે પણ આવી જ સુવિધા શરૂ કરવા પર કામ કરી રહી છે. જો કે હજુ સુધી તેની શરૂઆત થઈ નથી.

ત્રણ વર્ષ પહેલા ચૂંટણી પંચે પણ સરકાર સમક્ષ આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે વિદેશમાં રહેતા બિન-નિવાસી ભારતીયો માટે રિમોટ વોટિંગ શરૂ કરવાનું વિચારી રહી છે.

કેટલા NRI છે?

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમગ્ર વિશ્વમાં 1.36 કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. સૌથી વધુ 34.19 લાખ યુએઈમાં રહે છે. અમેરિકામાં 12.80 લાખ ભારતીયો છે. ચૂંટણી પંચ અનુસાર, લગભગ 1.25 લાખ ભારતીયો નોંધાયેલા છે.

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે

લોકસભાની ચૂંટણી બુધવારથી શરૂ થઈ ગઈ છે. બુધવારે પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે. આ પછી 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેક્રોનની ભારત મુલાકાત: ભારત ફ્રાન્સ વચ્ચે 21 ઐતિહાસિક કરાર, સંબંધો થયા અપગ્રેડ
મેક્રોનની ભારત મુલાકાત: ભારત ફ્રાન્સ વચ્ચે 21 ઐતિહાસિક કરાર, સંબંધો થયા અપગ્રેડ
લખનૌમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન: હિન્દુઓએ 3 બાળકો પેદા કરવા જોઈએ
લખનૌમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન: હિન્દુઓએ 3 બાળકો પેદા કરવા જોઈએ
સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ સુધારો વિધાનસભામાં પસાર: ગેરકાયદે વેચાયેલી જમીન ૩ મહિનામાં ખેડૂતોને પરત મળશે
સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ સુધારો વિધાનસભામાં પસાર: ગેરકાયદે વેચાયેલી જમીન ૩ મહિનામાં ખેડૂતોને પરત મળશે
ગુજરાતમાં નોકરીના નિયમો બદલાયા: હવે 10 કલાક કામ અને મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી
ગુજરાતમાં નોકરીના નિયમો બદલાયા: હવે 10 કલાક કામ અને મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી

વિડિઓઝ

PM Modi French President Joint Press Conference : ભારત-ફ્રાન્સ વચ્ચે રણનીતિક ભાગીદારી , મોદી-મક્રોનની સંયુક્ત પત્રકાર પરીષદ
Kirti Patel Controversy : વિવાદિત કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો, શું છે મામલો?
Hun To Bolish : હું તો બોલીશ : ખોટી રીતે બનેલા ખેડૂતોની ખેર નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની મોંઘેરી સાડી
Hun To Bolish : હું તો બોલીશ : બોંબનો ધમકીબાજ કોણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેક્રોનની ભારત મુલાકાત: ભારત ફ્રાન્સ વચ્ચે 21 ઐતિહાસિક કરાર, સંબંધો થયા અપગ્રેડ
મેક્રોનની ભારત મુલાકાત: ભારત ફ્રાન્સ વચ્ચે 21 ઐતિહાસિક કરાર, સંબંધો થયા અપગ્રેડ
લખનૌમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન: હિન્દુઓએ 3 બાળકો પેદા કરવા જોઈએ
લખનૌમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન: હિન્દુઓએ 3 બાળકો પેદા કરવા જોઈએ
સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ સુધારો વિધાનસભામાં પસાર: ગેરકાયદે વેચાયેલી જમીન ૩ મહિનામાં ખેડૂતોને પરત મળશે
સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ સુધારો વિધાનસભામાં પસાર: ગેરકાયદે વેચાયેલી જમીન ૩ મહિનામાં ખેડૂતોને પરત મળશે
ગુજરાતમાં નોકરીના નિયમો બદલાયા: હવે 10 કલાક કામ અને મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી
ગુજરાતમાં નોકરીના નિયમો બદલાયા: હવે 10 કલાક કામ અને મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી
AI સમિટમાં PM મોદીનું વિઝન: 2047 સુધીમાં ભારત બનશે વિશ્વની ટોચની ત્રણ AI સુપરપાવર્સમાંનું એક
AI સમિટમાં PM મોદીનું વિઝન: 2047 સુધીમાં ભારત બનશે વિશ્વની ટોચની ત્રણ AI સુપરપાવર્સમાંનું એક
T20 વર્લ્ડ કપ 2026: 7 ટીમો સુપર 8માં નક્કી, ઓસ્ટ્રેલિયા બહાર, પાકિસ્તાન પર લટકતી તલવાર
T20 વર્લ્ડ કપ 2026: 7 ટીમો સુપર 8માં નક્કી, ઓસ્ટ્રેલિયા બહાર, પાકિસ્તાન પર લટકતી તલવાર
Bangladesh: તારિક રહેમાન બન્યા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ શહાબુદ્દીને શપથ લેવડાવ્યા
Bangladesh: તારિક રહેમાન બન્યા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ શહાબુદ્દીને શપથ લેવડાવ્યા
બાંગ્લાદેશની નવી સરકારમાં લઘુમતીઓને સ્થાન: તારિક રહેમાનના મંત્રીમંડળમાં હિન્દુ અને બૌદ્ધ નેતાને મળ્યું મંત્રીપદ
બાંગ્લાદેશની નવી સરકારમાં લઘુમતીઓને સ્થાન: તારિક રહેમાનના મંત્રીમંડળમાં હિન્દુ અને બૌદ્ધ નેતાને મળ્યું મંત્રીપદ
Embed widget