શોધખોળ કરો

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?

આ વર્ષે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.

DELHI : ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસને રાજ્યસભામાં મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો પણ ગુમાવી શકે છે. દેશના છ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી થનારી 13 બેઠકો  માટે 31 માર્ચે ચૂંટણી યોજાશે. આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાના આઠ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે અને પંજાબના પાંચ સભ્યોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થશે. જેના કારણે આ બેઠકો ખાલી પડી રહી છે.

આ વર્ષે  રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.જો કોંગ્રેસ પાર્ટી આ વર્ષના અંતમાં ગુજરાતની ચૂંટણીમાં અને આવતા વર્ષે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ નહીં કરી શકે તો તે રાજ્યસભાની આગામી દ્વિવાર્ષિક ચૂંટણીઓમાં વિરોધ પક્ષના નેતાનો દરજ્જો ગુમાવશે.

વિપક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટે 10% સંખ્યાબળ જરૂરી 
કોંગ્રેસ પાસે હાલમાં રાજ્યસભામાં 34 સભ્યો છે અને તે આ વર્ષે ઓછામાં ઓછી 7 બેઠકો ગુમાવીને વિક્રમી સ્તરે પહોંચે તેવી શક્યતા છે. ધારાધોરણો મુજબ કોઈપણ પક્ષ પાસે ગૃહના કુલ સભ્યપદના ઓછામાં ઓછા 10 ટકા સંખ્યા હોવી જોઈએ, તો જ તે વિપક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. રાજ્યસભાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિપક્ષના નેતાનો દરજ્જો જાળવી રાખવા માટે પાર્ટી પાસે ગૃહમાં તેના નેતા માટે ઓછામાં ઓછા 25 સભ્યો હોવા જોઈએ. હાલમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં વિપક્ષના નેતા છે. કોંગ્રેસ પાસે લોકસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો નથી કારણ કે ગૃહમાં તેની વર્તમાન સંખ્યા ગૃહના કુલ સભ્યોના 10 ટકાના આંકડા કરતા ઓછી છે.

રાજ્યસભામાં AAPનું કદ વધશે
ચૂંટણી પંચે તાજેતરમાં રાજ્યસભામાં 13 ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમાંથી 5 સીટો પંજાબની છે અને 8 સીટો હિમાચલ પ્રદેશ, આસામ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાની છે. આવતા મહિને પંજાબમાંથી નિવૃત્ત થનારા સભ્યોમાં કોંગ્રેસના બે સભ્યોનો સમાવેશ થાય છે.પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીની રાજ્યસભા બેઠકોમાં વધારો થશે. આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભામાં તેની ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે, રાજ્યસભામાં તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે અને રાજ્યની સાત બેઠકોમાંથી ઓછામાં ઓછી છ બેઠકો જીતવાની સ્થિતિમાં હશે. આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસનો આંકડો આ વર્ષે નીચે આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget