શોધખોળ કરો

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?

આ વર્ષે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.

DELHI : ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસને રાજ્યસભામાં મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો પણ ગુમાવી શકે છે. દેશના છ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી થનારી 13 બેઠકો  માટે 31 માર્ચે ચૂંટણી યોજાશે. આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાના આઠ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે અને પંજાબના પાંચ સભ્યોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થશે. જેના કારણે આ બેઠકો ખાલી પડી રહી છે.

આ વર્ષે  રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.જો કોંગ્રેસ પાર્ટી આ વર્ષના અંતમાં ગુજરાતની ચૂંટણીમાં અને આવતા વર્ષે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ નહીં કરી શકે તો તે રાજ્યસભાની આગામી દ્વિવાર્ષિક ચૂંટણીઓમાં વિરોધ પક્ષના નેતાનો દરજ્જો ગુમાવશે.

વિપક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટે 10% સંખ્યાબળ જરૂરી 
કોંગ્રેસ પાસે હાલમાં રાજ્યસભામાં 34 સભ્યો છે અને તે આ વર્ષે ઓછામાં ઓછી 7 બેઠકો ગુમાવીને વિક્રમી સ્તરે પહોંચે તેવી શક્યતા છે. ધારાધોરણો મુજબ કોઈપણ પક્ષ પાસે ગૃહના કુલ સભ્યપદના ઓછામાં ઓછા 10 ટકા સંખ્યા હોવી જોઈએ, તો જ તે વિપક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. રાજ્યસભાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિપક્ષના નેતાનો દરજ્જો જાળવી રાખવા માટે પાર્ટી પાસે ગૃહમાં તેના નેતા માટે ઓછામાં ઓછા 25 સભ્યો હોવા જોઈએ. હાલમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં વિપક્ષના નેતા છે. કોંગ્રેસ પાસે લોકસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો નથી કારણ કે ગૃહમાં તેની વર્તમાન સંખ્યા ગૃહના કુલ સભ્યોના 10 ટકાના આંકડા કરતા ઓછી છે.

રાજ્યસભામાં AAPનું કદ વધશે
ચૂંટણી પંચે તાજેતરમાં રાજ્યસભામાં 13 ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમાંથી 5 સીટો પંજાબની છે અને 8 સીટો હિમાચલ પ્રદેશ, આસામ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાની છે. આવતા મહિને પંજાબમાંથી નિવૃત્ત થનારા સભ્યોમાં કોંગ્રેસના બે સભ્યોનો સમાવેશ થાય છે.પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીની રાજ્યસભા બેઠકોમાં વધારો થશે. આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભામાં તેની ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે, રાજ્યસભામાં તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે અને રાજ્યની સાત બેઠકોમાંથી ઓછામાં ઓછી છ બેઠકો જીતવાની સ્થિતિમાં હશે. આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસનો આંકડો આ વર્ષે નીચે આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Embed widget