શોધખોળ કરો

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?

આ વર્ષે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.

DELHI : ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસને રાજ્યસભામાં મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો પણ ગુમાવી શકે છે. દેશના છ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી થનારી 13 બેઠકો  માટે 31 માર્ચે ચૂંટણી યોજાશે. આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાના આઠ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે અને પંજાબના પાંચ સભ્યોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થશે. જેના કારણે આ બેઠકો ખાલી પડી રહી છે.

આ વર્ષે  રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.જો કોંગ્રેસ પાર્ટી આ વર્ષના અંતમાં ગુજરાતની ચૂંટણીમાં અને આવતા વર્ષે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ નહીં કરી શકે તો તે રાજ્યસભાની આગામી દ્વિવાર્ષિક ચૂંટણીઓમાં વિરોધ પક્ષના નેતાનો દરજ્જો ગુમાવશે.

વિપક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટે 10% સંખ્યાબળ જરૂરી 
કોંગ્રેસ પાસે હાલમાં રાજ્યસભામાં 34 સભ્યો છે અને તે આ વર્ષે ઓછામાં ઓછી 7 બેઠકો ગુમાવીને વિક્રમી સ્તરે પહોંચે તેવી શક્યતા છે. ધારાધોરણો મુજબ કોઈપણ પક્ષ પાસે ગૃહના કુલ સભ્યપદના ઓછામાં ઓછા 10 ટકા સંખ્યા હોવી જોઈએ, તો જ તે વિપક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. રાજ્યસભાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિપક્ષના નેતાનો દરજ્જો જાળવી રાખવા માટે પાર્ટી પાસે ગૃહમાં તેના નેતા માટે ઓછામાં ઓછા 25 સભ્યો હોવા જોઈએ. હાલમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં વિપક્ષના નેતા છે. કોંગ્રેસ પાસે લોકસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો નથી કારણ કે ગૃહમાં તેની વર્તમાન સંખ્યા ગૃહના કુલ સભ્યોના 10 ટકાના આંકડા કરતા ઓછી છે.

રાજ્યસભામાં AAPનું કદ વધશે
ચૂંટણી પંચે તાજેતરમાં રાજ્યસભામાં 13 ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમાંથી 5 સીટો પંજાબની છે અને 8 સીટો હિમાચલ પ્રદેશ, આસામ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાની છે. આવતા મહિને પંજાબમાંથી નિવૃત્ત થનારા સભ્યોમાં કોંગ્રેસના બે સભ્યોનો સમાવેશ થાય છે.પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીની રાજ્યસભા બેઠકોમાં વધારો થશે. આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભામાં તેની ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે, રાજ્યસભામાં તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે અને રાજ્યની સાત બેઠકોમાંથી ઓછામાં ઓછી છ બેઠકો જીતવાની સ્થિતિમાં હશે. આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસનો આંકડો આ વર્ષે નીચે આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Embed widget