શોધખોળ કરો

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?

આ વર્ષે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.

DELHI : ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસને રાજ્યસભામાં મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો પણ ગુમાવી શકે છે. દેશના છ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી થનારી 13 બેઠકો  માટે 31 માર્ચે ચૂંટણી યોજાશે. આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાના આઠ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે અને પંજાબના પાંચ સભ્યોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થશે. જેના કારણે આ બેઠકો ખાલી પડી રહી છે.

આ વર્ષે  રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.જો કોંગ્રેસ પાર્ટી આ વર્ષના અંતમાં ગુજરાતની ચૂંટણીમાં અને આવતા વર્ષે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ નહીં કરી શકે તો તે રાજ્યસભાની આગામી દ્વિવાર્ષિક ચૂંટણીઓમાં વિરોધ પક્ષના નેતાનો દરજ્જો ગુમાવશે.

વિપક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટે 10% સંખ્યાબળ જરૂરી 
કોંગ્રેસ પાસે હાલમાં રાજ્યસભામાં 34 સભ્યો છે અને તે આ વર્ષે ઓછામાં ઓછી 7 બેઠકો ગુમાવીને વિક્રમી સ્તરે પહોંચે તેવી શક્યતા છે. ધારાધોરણો મુજબ કોઈપણ પક્ષ પાસે ગૃહના કુલ સભ્યપદના ઓછામાં ઓછા 10 ટકા સંખ્યા હોવી જોઈએ, તો જ તે વિપક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. રાજ્યસભાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિપક્ષના નેતાનો દરજ્જો જાળવી રાખવા માટે પાર્ટી પાસે ગૃહમાં તેના નેતા માટે ઓછામાં ઓછા 25 સભ્યો હોવા જોઈએ. હાલમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં વિપક્ષના નેતા છે. કોંગ્રેસ પાસે લોકસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો નથી કારણ કે ગૃહમાં તેની વર્તમાન સંખ્યા ગૃહના કુલ સભ્યોના 10 ટકાના આંકડા કરતા ઓછી છે.

રાજ્યસભામાં AAPનું કદ વધશે
ચૂંટણી પંચે તાજેતરમાં રાજ્યસભામાં 13 ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમાંથી 5 સીટો પંજાબની છે અને 8 સીટો હિમાચલ પ્રદેશ, આસામ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાની છે. આવતા મહિને પંજાબમાંથી નિવૃત્ત થનારા સભ્યોમાં કોંગ્રેસના બે સભ્યોનો સમાવેશ થાય છે.પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીની રાજ્યસભા બેઠકોમાં વધારો થશે. આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભામાં તેની ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે, રાજ્યસભામાં તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે અને રાજ્યની સાત બેઠકોમાંથી ઓછામાં ઓછી છ બેઠકો જીતવાની સ્થિતિમાં હશે. આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસનો આંકડો આ વર્ષે નીચે આવશે.

ટોપ સ્ટોરી

Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Embed widget