શોધખોળ કરો

Gujrat Election 2022: આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી આ તીર્થસ્થાન પરથી લડશે ચૂંટણી

આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને સીએમ પદના ચહેરા માટે પસંદ કર્યાં બાદ તેઓ કઇ બેઠક પરથી લડશે તેની ચર્ચા થઇ રહી હતી. ઇસુદાન ગઢવી દ્રારકા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરાઇ છે.

Gujrat Election 2022:આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને સીએમ પદના ચહેરા માટે પસંદ કર્યાં બાદ તેઓ કઇ બેઠક પરથી લડશે તેની ચર્ચા થઇ રહી હતી. ઇસુદાન ગઢવી દ્રારકા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરાઇ છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. આ પોલમાં ગોપાલ ઈટાલિયા કરતાં વધારે મત મળતાં ઈસુદાનને મુખ્યમંત્રુદના ઉમેદવાર જાહેર કરાયા છે. 
આ પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારી ચૂકી છે.

ઉલ્લેખનિય છે કે, દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે. તો બીજી તરફ દ્વારકા પર કોંગ્રેસનું કોકડું ગુચવાયું છે. ઉલ્લેખનિય છે કે, ઇસુદાન ગઢવીનું તેના સમાજ પર વધુ પ્રભુત્વ છે. સૌરાષ્ટ્રના ગામડા સાથે તેમની તેમના સમાજમાં પણ લોકપ્રિયતા છે.

ઉલ્લેખનિ છે કે દ્રારકા બેઠક પર 6હજારથી વધુ ગઢવી સમાજના મતદાતા છે. તો આહિર સમાજના 56 મતદાતા છે. દ્રારકા બેઠક પર દલવાડી સમાજના 35 હજાર મતદાતા છે. તો લધુમતિ સમાજના 36 હજાર મતદાતા છે. તો કોળી સમાજના 14 હજાર મતદાતા છે. બ્રાહ્મણ 13 હજાર અને લોહાણા સમાજના 12 હજાર મતદાતા છે. દ્રારકામાં ક્ષત્રિતય સમાજના 11 હજાર મતદાતા છે.

ઇસુદાન ગઢવી જ્યારે પત્રકાર હતા, આ સમયે તેમના શો “મહામંથન” દ્રારા તે ખેડૂતોના પ્રશ્નોને ઉજાગરતા કરતા રહ્યાં છે. તેથી તેમની ખેડૂતોમાં પણ સારી એવી લોકપ્રિયતા છે.

વિપુલ ચૌધરીએ AAPની ટિકિટ પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત 

: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચોધરીએ વિસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઇ ચૂંટણી લડશે. અર્બુદા સેનાના માહા મંત્રી રાજુ ચોધરીએ આ જાણકારી આપી છે. વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સામે વિપુલ ચોધરી ઉમેદવારી નોંધાવશે. અર્બુદા સેનાના હોદ્દેદારે સત્તાવાર જાહેરાત કરતા ઉતર ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી અર્બુદા સેના મેદાનમાં આવી ગઈ છે.

શંકરસિંહ વાઘેલા આ તારીખે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની હાજરીમાં પક્ષમાં જોડાશે

ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય તેવા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી એન્ટ્રીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. 12 તારીખે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાશે. નોંધનીય છે કે, શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પહેલાં જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. શંકરસિંહ વાઘેલાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે તે વાત નક્કી છે.

આ બેઠક પર ઉકળતો ચરુ

 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ બીજેપીએ તેમના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતાં જ કેટલીક સીટો પર નારાજગી પણ સામે આવવા લાગી છે. તમને જણાવી દઈએ કે, નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. જેવું તેમનું નામ સામે આવ્યું કે, નાંદોદ તાલુકાના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.

નાંદોદ ભાજપના કાર્યકર્તાઓએ એકઠા થઇ આ ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને હર્ષદ વસાવાને અપક્ષ ઉમેદવારી કરવા આગ્રહ કરવાની વાત કરી હતી. આ માટે કાર્યકર્તાઓ ફંડ પણ ઉઘરાવશે. આવતીકાલે હર્ષદ વસાવા અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી સાંભવના છે. હર્ષદ વસાવા ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી શકયતા છે. હર્ષદ વસાવાના સમર્થનમાં ભાજપના હજારો કાર્યકર્તાઓ આવતીકાલે રાજીનામાં આપશે.

ટોપ સ્ટોરી

નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Embed widget