શોધખોળ કરો

Lok Sabha Elections: વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહારો, 'PM મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા'

Lok Sabha Elections: કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરમાં જનસભા સંબોધિત કરી હતી

Lok Sabha Elections: કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરમાં જનસભા સંબોધિત કરી હતી. તેમણે ભાજપ પર બંધારણ બદલવાના આરોપો  પણ લગાવ્યા હતા. રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે ઇન્દિરાજી દુર્ગમ વિસ્તારોમાં પણ આદિવાસીઓ વચ્ચે પહોંચતા હતા. જનતા સર્વોપરી તે કૉંગ્રેસની પરંપરા છે. ભાજપને સત્તાની ચિંતા, જનતાની નહીં. નામ લીધા વગર પ્રિયંકા ગાંધીએ ગૌતમ અદાણી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ સરકારે દેશના બંદરો અને એરપોર્ટ આપી દીધા. વડાપ્રધાન મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા છે.

‘ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરે છે’

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શરૂઆતમાં ના પાડનાર ભાજપની નીયત બંધારણ બદલવાની છે. ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરે છે. લોકશાહી અને દેશની જનતાને ભાજપ દુર્બળ બનાવવા માંગે છે. 10 વર્ષમાં લોકશાહીને નિર્બળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. સ્વાયત સંસ્થાઓને નિર્બળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. પ્રિયંકા ગાંધીએ મીડિયાને નિર્બળ બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

‘ગરીબોને ન્યાય અપાવવા રાહુલે ન્યાય યાત્રા કાઢી’ 

પ્રિયંકાએ મીડિયા પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ટીવી પર દેખાતા દ્રશ્યો અને જમીની હકિકત અલગ છે. મોંઘવારી સહિતના મુદ્દાઓને મહત્વ આપવામાં આવતું નથી. આજના દિવસે સૌથી વધુ બેરોજગારી છે. આદિવાસીઓના જમીન અને જંગલ છિનવાયા છે. જ્યા જ્યા ભાજપની સરકાર ત્યા આદિવાસીઓ પર અત્યાચાર થાય છે. અનંત પટેલ સંઘર્ષ સાથે આગળ વધી રહ્યા છે. ગરીબોને ન્યાય અપાવવા કૉંગ્રેસે ન્યાય પત્ર બનાવ્યુ છે. ગરીબોને ન્યાય અપાવવા રાહુલે ન્યાય યાત્રા કાઢી  હતી.

‘કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી સરકારી રોજગાર અમે આપીશુ’

વધુમાં તેમણે કહ્યું કે વાપી સહિતના વિસ્તારોમાં ભારે પ્રદૂષણ છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીની સુવિધા નથી. માછીમારો માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી. કૉંગ્રેસની સરકાર બનશે તો માછીમારોના આઈકાર્ડ બનશે. કૉંગ્રેસની સરકાર બનશે તો સરકારી નોકરીઓ ભરાશે. મનરેગા યોજના કૉંગ્રેસની સરકારે શરૂ કરી છે. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી સરકારી રોજગાર અમે આપીશુ.

મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે ચૂંટણી આવે છે ત્યારે જ ભાજપને ગરીબો માટે હમદર્દી થાય છે. ચપટી વગાડતા યુદ્ધ રોકાવનાર ચપટી વગાડી મોંઘવારી ઘટાડે. બંધારણે તમામને એક સમાન અધિકાર આપ્યો છે. જળ,જંગલ અને જમીનનો અધિકાર બંધારણે આપ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya samaj | ક્ષત્રિય આગેવાનોએ જયરાજસિંહ પરમારને શું આપ્યો જવાબ?Paresh Dhanani | ચૂંટણી બાદ પરેશ ધાનાણીએ પરશોત્તમ રૂપાલા અંગે શું આપ્યું નિવેદન?Surat Suicide Case| દીકરાથી કંટાળીને મા બાપે ગળેફાંસો ખાઈને ટુંકાવી દીધું જીવન, જુઓ વીડિયોBhagwan Barad | ભાજપ MLA ભગવાન બારડને ઘેરીને ગ્રામજનોએ કરી માથાકુટ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે
Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
Embed widget