શોધખોળ કરો

Uttar Pradesh : ઓરૈયામાં વરઘોડામાં એક ખાસ ગીત વગાડતા જાનૈયાઓ પર ટોળાએ કર્યો હુમલો, જાણો કયું હતું એ ગીત

Uttar Pradesh : વરરાજાના પિતા તેમના પુત્ર રોહિતની જાન લઈ જઈ રહ્યા હતા અને વરઘોડામાં મહેમાનો 4 કાર અને 3 વાન સહિત 7 જેટલા વિવિધ વાહનોમાં સવાર હતા.

Uttar Pradesh : ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. અહીં વરઘોડામાં એક ખાસ ગીત વગાડતા જાનૈયાઓ પર ટોળાએ હુમલો કર્યો છે. વરઘોડામાં સામેલ જાનૈયાઓ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સંબંધિત ચૂંટણી થીમનું  ગીત વગાડી રહ્યાં હતા અને આ ગીત  વગાડવા બદલ કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને માર મારવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર શુક્રવારે 11 માર્ચના રોજ આ જાનૈયાઓ  વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથેની જીતની ઉજવણી કરી રહ્યા હતા અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું ગીત વગાડી રહ્યાં હતા. ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમને માર માર્યો અને તેમના વાહનોની તોડફોડ કરી. જાનૈયાઓ પાસેથી રોકડ અને ઘરેણાંની લૂંટ કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. 

દિલીપપુર ગામના રહેવાસી બ્રિજભાન સિંહના જણાવ્યા અનુસાર, તેઓ તેમના પુત્ર રોહિતની જાન લઈ જઈ રહ્યા હતા અને વરઘોડામાં મહેમાનો 4 કાર અને 3 વાન સહિત 7 જેટલા વિવિધ વાહનોમાં સવાર હતા. ભાજપની જીત પર 'યોગી-મોદી'ના વખાણ કરતું ગીત વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ બળજબરીથી વાહનો રોક્યા અને વરઘોડા પર હુમલો કર્યો અને વાહનોની તોડફોડ પણ કરી.કાર અને વાનના આગળના કાચ તુટી જવાથી કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

વાહનોમાં તોડફોડ કર્યા બાદ આ અસામાજિક તત્વો  કન્યાને આપવાના દાગીના સિવાય કારમાં રાખેલી રૂ.2 લાખ રોકડા લઈને નાસી ગયા હતા.રૂરુગંજ પોલીસ ચોકીના ઈન્ચાર્જ તન્મય ચૌધરીએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના અંગે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.

યુપીમાં સફાઈ કર્મચારી બન્યો ભાજપનો ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget