શોધખોળ કરો

Uttar Pradesh : ઓરૈયામાં વરઘોડામાં એક ખાસ ગીત વગાડતા જાનૈયાઓ પર ટોળાએ કર્યો હુમલો, જાણો કયું હતું એ ગીત

Uttar Pradesh : વરરાજાના પિતા તેમના પુત્ર રોહિતની જાન લઈ જઈ રહ્યા હતા અને વરઘોડામાં મહેમાનો 4 કાર અને 3 વાન સહિત 7 જેટલા વિવિધ વાહનોમાં સવાર હતા.

Uttar Pradesh : ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. અહીં વરઘોડામાં એક ખાસ ગીત વગાડતા જાનૈયાઓ પર ટોળાએ હુમલો કર્યો છે. વરઘોડામાં સામેલ જાનૈયાઓ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સંબંધિત ચૂંટણી થીમનું  ગીત વગાડી રહ્યાં હતા અને આ ગીત  વગાડવા બદલ કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને માર મારવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર શુક્રવારે 11 માર્ચના રોજ આ જાનૈયાઓ  વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથેની જીતની ઉજવણી કરી રહ્યા હતા અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું ગીત વગાડી રહ્યાં હતા. ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમને માર માર્યો અને તેમના વાહનોની તોડફોડ કરી. જાનૈયાઓ પાસેથી રોકડ અને ઘરેણાંની લૂંટ કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. 

દિલીપપુર ગામના રહેવાસી બ્રિજભાન સિંહના જણાવ્યા અનુસાર, તેઓ તેમના પુત્ર રોહિતની જાન લઈ જઈ રહ્યા હતા અને વરઘોડામાં મહેમાનો 4 કાર અને 3 વાન સહિત 7 જેટલા વિવિધ વાહનોમાં સવાર હતા. ભાજપની જીત પર 'યોગી-મોદી'ના વખાણ કરતું ગીત વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ બળજબરીથી વાહનો રોક્યા અને વરઘોડા પર હુમલો કર્યો અને વાહનોની તોડફોડ પણ કરી.કાર અને વાનના આગળના કાચ તુટી જવાથી કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

વાહનોમાં તોડફોડ કર્યા બાદ આ અસામાજિક તત્વો  કન્યાને આપવાના દાગીના સિવાય કારમાં રાખેલી રૂ.2 લાખ રોકડા લઈને નાસી ગયા હતા.રૂરુગંજ પોલીસ ચોકીના ઈન્ચાર્જ તન્મય ચૌધરીએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના અંગે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.

યુપીમાં સફાઈ કર્મચારી બન્યો ભાજપનો ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget