ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની અફવા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ સાથે ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટોને રિસ્ટોર કર્યા છે. જ્યારે તેમના વકીલે કોર્ટની કાર્યવાહીની પુષ્ટિ કરી હતી, જો કે પરિવારે રૂ. 60 કરોડની એલિમની માંગણીના દાવાને નકાર્યો છે.

ડિવોર્સની અફવાઓ વચ્ચે, કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ તેના પતિ, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેની તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર રિસ્ટોર કરી છે. દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય સ્પિનર આર જે માહવશ સાથે સમય વિતાવતો જોવા મળ્યો તેના એક દિવસ બાદ જ આ વાત આવી છે.
ધનશ્રીએ અગાઉ છૂટાછેડાની અફવાઓને વેગ આપતા યુઝવેન્દ્ર સાથેની તેની તમામ તસવીરો હટાવી દીધી હતી. જો કે, તેમની ડેટ્સ, આઉટિંગ્સ, બ્રાન્ડ સહયોગ, લગ્ન અને અન્ય ખાસ પ્રસંગોના ફોટા હવે તેના Instagram ગ્રિડ પર પાછા જોવા મળી રહયાં છે.
સોમવારના રોજ, ધનશ્રીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી જ્યારે આરજે મહવશ સાથે યુઝવેન્દ્રની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેણીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, "સ્ત્રીઓ પર દોષારોપણ કરવું તે એક માનસિકતા રહી છે."

યુઝવેન્દ્ર અને ધનશ્રીએ 2020 માં લગ્ન કર્યા હતા આ સમય દરમિયાન બંનેની અનેક મજેદાર રીલ્સ સોશિયલ મીડિયા પર જોવા મળતી હતી. ધનશ્રી, જેણે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણ ભાગ લીધો હતો, તે તેની ક્રિકેટ મેચો દરમિયાન યુઝવેન્દ્રને સ્ટેન્ડ પરથી સપોર્ટ કરતી જોવા મળતી.
જો કે, તેઓએ 2024 માં છૂટાછેડા માટે અરજી કરી હતી.
ધનશ્રીના વકીલ, એડવોકેટ અદિતિ મોહનીએ તાજેતરમાં ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, “તેમના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કાર્યવાહી પર મારે કોઇ વિશેષ ટિપ્પણી નથી કરવી, આ મામલો કોર્ટમાં છે. મીડિયાએ રિપોર્ટિંગ કરતા પહેલા હકીકત તપાસવી જોઈએ, કારણ કે ઘણી બધી ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે,"
ઘણા દાવાઓ વચ્ચે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ખાસ અહેવાલમાં આરોપ છે કે, ધનશ્રીએ 60 કરોડ રૂપિયાની ભરણપોષણની માંગણી કરી હતી. જો કે, તેના પરિવારે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ માંગ કરવામાં આવી નથી અને તેમના ફેન્સને પાયાવિહાણી ખોટી માહિતી શેર ન કરવાનો અનુરોધ કરાવમાં આવ્યો છે.





















