![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Uunchai Trailer: અમિતાભ બચ્ચન, પરિણીતી ચોપરાની ફિલ્મ Uunchai નું ટ્રેલર રીલિઝ, જુઓ Video
અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને પરિણીતી ચોપરાની ફિલ્મ 'ઉંચાઇ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
![Uunchai Trailer: અમિતાભ બચ્ચન, પરિણીતી ચોપરાની ફિલ્મ Uunchai નું ટ્રેલર રીલિઝ, જુઓ Video Amitabh Bachchan, Anupam Kher, Boman Irani, Danny -starrer 'Uunchai' Trailer OUT Uunchai Trailer: અમિતાભ બચ્ચન, પરિણીતી ચોપરાની ફિલ્મ Uunchai નું ટ્રેલર રીલિઝ, જુઓ Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/a8f117dc37ec9e3516fde208d13d7281166608397174074_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Uunchai Movie Trailer: અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને પરિણીતી ચોપરાની ફિલ્મ 'ઉંચાઇ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે, જેમાં બોમન ઈરાની અને નીના ગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં છે. સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ ઉંચાઇની વાર્તા મિત્રતા પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર પણ હૃદય સ્પર્શી છે. ટ્રેલરમાં અમિતાભથી લઈને બોમન સુધીના તમામ સ્ટાર્સનું શાનદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે.
ટ્રેલરમાં પરિણીતી ચોપરા ટુરિસ્ટ ગાઈડના રોલમાં જોવા મળી રહી છે. જ્યારે બોમન, અમિતાભ અને અનુપમ ત્રણેય ખૂબ જૂના મિત્રો છે. ઉલ્લેખનીય છે કે બિગ બીની ફિલ્મ ' Uunchai ' આવતા મહિને 11 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. લગભગ 2 મિનિટ 50 સેકન્ડના આ ટ્રેલર વીડિયોમાં શાનદાર ડિરેક્શનની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે. Uunchai ની મૂળ વાર્તા મિત્રતા પર આધારિત છે.
ફિલ્મ ' Uunchai 'ની ટેગલાઈન છે 'ફ્રેન્ડશિપ ઈઝ ધેર ઈન્સ્પિરેશન'. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેંગઝોમ્પા લાંબા સમયથી મિત્રો છે. ટ્રેલરના એક દ્રશ્યમાં ડેની પણ પોતાનો જન્મદિવસ ઉજવતો જોવા મળે છે. આ પછી તેના આકસ્મિક મૃત્યુથી બધાને આઘાત લાગે છે. વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે ડેની માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર જવા માંગતો હતો!
આટલું જ નહીં, ફિલ્મમાં ડેની તેના બાળપણના મિત્રો સાથે ફરીથી જીવન જીવવા માંગતો હતો! હવે ફિલ્મની આખી વાર્તા આના પર આધારિત છે. ડેનીના ત્રણ મિત્રો અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની તેમના મિત્રની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે 'ઊંચાઈ' સુધી પહોંચવા માટે સંઘર્ષ કરે છે.
The Kashmir Files 2: 'ધ કાશ્મીર ફાઇલ્સ 2'ના ચાહકો માટે સારા સમાચાર
The Kashmir Files 2: વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. લગભગ 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને બોક્સ ઓફિસ પરથી 340 કરોડનું કલેક્શન કર્યું. કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની રજૂ કરતી આ ફિલ્મે સૌને ચોંકાવી દીધા હતા અને ત્યારથી એ સવાલ પણ ઉઠી રહ્યો હતો કે આ ફિલ્મનો બીજો ભાગ ક્યારે આવશે?
કાશ્મીરી પંડિતો પર અત્યાચારનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો
હાલમાં જ કાશ્મીરી પંડિતો પર અત્યાચારનો વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યું કે, 'ખીણમાં કાશ્મીરી પંડિતોની સતત હત્યા થઈ રહી છે પરંતુ પોતાને હિન્દુઓની ઠેકેદાર ગણાવતી સરકાર ઉંઘી ગઈ છે અને તેમની સતત હત્યા, અત્યાચારોથી કોઈ ફેર નથી પડી રહ્યો. વસ્તુઓ ખૂબ જ ખરાબ છે. કાશ્મીરી પંડિતો 90ના દાયકાના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ ટ્વીટને રીટ્વીટ કરતા શ્રેયાંશ ત્રિપાઠીએ વિવેક અગ્નિહોત્રીને ટેગ કરીને પૂછ્યું - શું વિવેક અગ્નિહોત્રી આના પર કાશ્મીર ફાઈલ્સ બનાવી શકશે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)