![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Salim Khan On Helen:'મારો કોઈ ખોટો ઈરાદો નહોતો...' સલમાનના પિતા સલીમ ખાને વર્ષો પછી હેલન સાથેના બીજા લગ્ન અંગે તોડ્યું મૌન
Salim Khan On Helen: વર્ષો પછી સલીમ ખાને બીજી પત્ની હેલન સાથેના સંબંધો વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે આ એક ભાવુક ક્ષણ હતી, જે કોઈપણ સાથે થઈ શકે છે.
![Salim Khan On Helen:'મારો કોઈ ખોટો ઈરાદો નહોતો...' સલમાનના પિતા સલીમ ખાને વર્ષો પછી હેલન સાથેના બીજા લગ્ન અંગે તોડ્યું મૌન Arbaaz Khan Questions Father, Salim Khan About His Romance With Helen In '80s And How He Handled It Salim Khan On Helen:'મારો કોઈ ખોટો ઈરાદો નહોતો...' સલમાનના પિતા સલીમ ખાને વર્ષો પછી હેલન સાથેના બીજા લગ્ન અંગે તોડ્યું મૌન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/72cc769280c1ffc425b5fef35aefb400167541400108281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salim Khan On Helen: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ક્રીન રાઈટર સલીમ ખાનની અભિનેત્રી હેલન સાથેની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. પરિણીત હોવા છતાં સલીમ હેલન સાથે પ્રેમમાં પડ્યા અને પછી વર્ષ 1981માં તેની સાથે લગ્ન કર્યા. હવે વર્ષો પછી સલીમ ખાને હેલન સાથેના સંબંધો પર મૌન તોડ્યું છે. તે કહે છે કે આ એક ભાવુક ક્ષણ હતી, જે કોઈની સાથે પણ થઈ શકે છે.
સલીમ ખાન પુત્ર અરબાઝના શોના મહેમાન બન્યા હતા
અરબાઝ ખાન 'ધ ઇન્વિન્સીબલ્સ' નામનો નવો ચેટ શો લઈને આવી રહ્યો છે. આ શોમાં પ્રથમ ગેસ્ટ બીજું કોઈ નહીં પરંતુ તેના પિતા સલીમ ખાન છે. શોના પહેલા એપિસોડનું ટીઝર સામે આવ્યું છે, જેમાં અરબાઝ તેના પિતા સલીમ સાથે અંગત અને વ્યાવસાયિક જીવન વિશે વાત કરતો જોવા મળે છે.
View this post on Instagram
તે એક ભાવુક ક્ષણ હતી: સલીમ ખાન
ટીઝરમાં જોઈ શકાય છે કે અરબાઝ પિતા સલીમને હેલન સાથેના તેના સંબંધ વિશે પૂછે છે. જેના જવાબમાં તેણે કહ્યું, 'તે યુવાન હતી, હું પણ યુવાન હતો. મારો કોઈ ઈરાદો નહોતો. તે એક ભાવુક ક્ષણ હતો. કોઈની સાથે પણ થઈ શકે છે. આ સિવાય અરબાઝ સલીમ ખાનને સલમા ખાન સાથેની તેની લવ સ્ટોરી વિશે પૂછે છે, તો તે કહે છે, 'અમે અહીં-ત્યાં છુપાઈને મળતા હતા. મેં તેને કહ્યું કે મારે તારા માતા-પિતાને મળવું છે.
પત્ની સલમાના માતા-પિતા સાથેની પહેલી મુલાકાત યાદ આવી
આ પછી સલીમ ખાને સલમા ખાનના માતા-પિતા સાથેની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું. આ વિશે તે કહે છે, 'જ્યારે હું ગયો ત્યારે બધા મને મળવા આવ્યા. જાણે ઝૂમાં કોઈ નવું પ્રાણી આવ્યું હોય, ચાલો તેને જોવા જઈએ. આ સિવાય સલીમ ખાને જાવેદ અખ્તરથી અલગ થવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું કે જાવેદથી અલગ થવાથી તે ખૂબ જ દુઃખી છે, પરંતુ તેમણે એ પણ સ્વીકાર્યું કે તેઓ નજીકના મિત્રો નહોતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)