Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ 'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
મુંબઈમાં ચાલી રહેલા એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" સમિટના પહેલા દિવસના એક સેશનમાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી સામેલ થવા માટે પહોંચ્યા.

મુંબઈમાં ચાલી રહેલા એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" સમિટના પહેલા દિવસના એક સેશનમાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી સામેલ થવા માટે પહોંચ્યા. આ દરમિયાન તેમણે અત્યાર સુધીની તેમની સફર વિશે વાત કરી હતી. પોતાની અભિનય કારકિર્દી વિશે વાત કરતા અભિનેતાએ જણાવ્યું કે તેમણે સખત મહેનત કરી છે અને આ કારણે તેઓ આજે અહીં છે.
પિતા સુનિલ શેટ્ટીના પ્રેરણાસ્ત્રોત છે
"ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે એ સફર હજુ પણ ચાલી રહી છે. ખાસ કરીને ઉદ્યોગમાં મારા પ્રવેશ પછી હું મારા પરિવાર અને બાળકો વિશે વિચારું છું. હવે જ્યારે નાના બન્યો છું ત્યારે હું તેના વિશે વિચારું છું. પરંતુ એક સુંદર જર્ની રહી છે. જ્યારે મને તક મળી ત્યારે મેં મારા પિતાને પૂછ્યું કે એક તક મળી છે ઈન્ડસ્ટ્રીમાં તો સૌથી પહેલા મે તેમને પુછ્યું અને તેમણે કહ્યું કે 'જીવન ફક્ત એક જ વાર મળે છે, તેથી તેને તમારું શ્રેષ્ઠ આપો. તમે જે પણ કરો તે સત્ય અને પ્રામાણિકતાથી કરો."
"બોર્ડર" માં કામ કરવાનો ઇનકાર કેમ કર્યો હતો
આ દરમિયાન સુનિલ શેટ્ટીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે શરૂઆતમાં ફિલ્મ "બોર્ડર" માં કામ કરવાનો ઇનકાર કેમ કર્યો હતો ? તેના જવાબમાં સુનિલ શેટ્ટીએ કહ્યું, "હા, મેં શરૂઆતમાં ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે જેપી દત્તાજી ખૂબ કડક છે. તેઓ સેટ પર ઠપકો આપે છે આ સાંભળીને મે ના પાડી હતી. પરંતુ પછી હું સેટ પર ગયો અને જેપીજીને મળ્યો તો મને ખૂબ સારું લાગ્યું. મને લાગે છે કે જો મેં "બોર્ડર" ફિલ્મ ન કરી હોત તો હું ક્યારેય અહીં સુધી પહોંચી શક્યો ન હોત. આ ફિલ્મને કારણે જ લોકો મને યાદ કરે છે. આ ફિલ્મ મારી જીંદગી માટે ખૂબ જ જરુરી હતી. "
સાસુના કહેવાથી હા પાડી
આગળ સુનીલ શેટ્ટીએ કહ્યું કે, પછી મારા સાસુએ મને આ ફિલ્મ કરવા માટે મનાવી લીધો અને હું સેટ પર ગયો, જેપીજીને મળ્યો તો ખૂબ જ સારુ લાગ્યું, મને લાગે છે કે જો મેં 'બોર્ડર'ફિલ્મ ન કરી હોત તો હું ક્યારેય અહીં સુધી પહોંચી શક્યો ન હોત. આ ફિલ્મને કારણે જ લોકો મને યાદ કરે છે. આ ફિલ્મ મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે."























