શોધખોળ કરો

શાહરૂખ ખાન 15 દિવસ સુધી દીકરાને કેમ નહોતી મળી શક્યો? હવે કેમ મળી મળવાની છૂટ?

આર્યન ખાનની ધરપકડના 15 દિવસ પછી શાહરૂખ ખાનને આજે પુત્રને મળવાની મંજૂરી મળી હતી. કારણ કે, કોરોના ગાઇડલાઇન પ્રમાણે અત્યાર સુધી કેદીને તેમના સંબંધીઓ અથવા વકીલ મળી શકતા નહોતા.

SRK Meet Aryan Khan: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) આજે તેમના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને મળવા આર્થર રોડ જેલ (Arthur Road Jail) પહોંચ્યા છે. શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા. આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા છે. અગાઉ તેણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અંદર જેલ પ્રશાસન સાથે પણ વાત કરી શકે છે.

નોંધનીય છે કે, આર્યન ખાનની ધરપકડના 15 દિવસ પછી શાહરૂખ ખાનને આજે પુત્રને મળવાની મંજૂરી મળી હતી. કારણ કે, કોરોના ગાઇડલાઇન પ્રમાણે અત્યાર સુધી કેદીને તેમના સંબંધીઓ અથવા વકીલ મળી શકતા નહોતા. આજે લાગુ થયેલી કોરોના ગાઇડલાઇન પ્રમાણે, આજથી જેલમાં બંધ કેદી અને જેમની ટ્રાયલ ચાલી રહી હોય તેવા કેદીઓને આર્થર રોડ જેલ પરિસરમાં તેમના સંબંધી કે વકીલ મળી શકશે. 

આમ, નવી ગાઇડ લાઇનમાં પરમિશન મળતાં શાહરૂખને પણ તેમના પુત્રને મળવાની મંજૂરી મળી છે. જેથી તેઓ પંદર દિવસ પછી આજે પુત્ર આર્યનને મળવા પહોંચ્યા હતા.  શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો ત્યારે મીડિયાની ભીડ હતી. મીડિયાએ પણ શાહરુખ ખાનને ઘણા સવાલો પૂછ્યા, પણ તે કંઈપણ બોલ્યા વગર સીધા જ પોતાના સુરક્ષા વર્તુળ સાથે અંદર ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ આર્યન ખાનને લગભગ 15 મિનિટ સુધી મળ્યો હતો.


આર્યન ખાનની જામીન અરજી ગઈ કાલે ફગાવી દેવામાં આવી હતી


ગઈકાલે, મહાનગરની વિશેષ અદાલતે બુધવારે બપોરે આર્યન અને અન્ય બેના જામીન નામંજૂર કર્યા હતા. સ્પેશિયલ જજ વીવી પાટીલે આર્યન અને તેના બે મિત્રો અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન નામંજૂર થયા બાદ તેના વકીલોએ નીચલી અદાલતના આદેશને પડકારતા તરત જ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આર્યનની અરજી પર સુનાવણી હવે 26મી ઓક્ટોબરે થશે, તેમ તેમના વકીલે એએનઆઇને જણાવ્યું હતું. આર્યનના વકીલો આજે જસ્ટિસ એનડબલ્યુ સામ્બ્રેની સિંગલ બેન્ચ સમક્ષ અપીલ રજૂ કરે તેવી શક્યતા હતી.


જણાવી દઈએ કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય આરોપીઓને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર એકમાં રાખવામાં આવ્યા હતા. બેરેક નંબર 1 કોરોના સમયગાળા દરમિયાન આઇસોલેશન વોર્ડ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે પણ નવો કેદી જેલમાં આવે છે, ત્યારે તેને 1 અઠવાડિયા માટે આઇસોલેશન વોર્ડ એટલે કે બેરેક નંબર એકમાં રાખવામાં આવે છે. આર્યન ખાન સહિત તમામ આરોપીઓને એકબીજાથી અલગ અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget