શોધખોળ કરો
‘રઇસ’ના પ્રમોશનમાં એકનાં મોતના કેસમાં શાહરૂખે કરી હાઇકોર્ટમાં પીટિશન, જાણો શું કહ્યું?
1/3

રેલવે પોલીસના સમન્સના પગલે શાહરુખાને આખી ઘટના સાથે પોતાને કોઈ નિસ્બત નહી હોવાની વાત કહી પોતે કેસમાંથી મુક્તિ આપવામાં આવે તેવી દાદ ગુજરાત હાઈકોર્ટ સામે માગી છે. શાહરૂખાને ગુજરાત હાઈકોર્ટને કહ્યુ છે સમગ્ર ઘટનામાં મારો કોઈ વાંક નથી.
2/3

‘રઈસ’ ફિલ્મના પ્રમોશન વચ્ચે વડોદરા રેલવે સ્ટેશન ઉપર શાહરૂખાન આવ્યો ત્યારે વડોદરાના ફરીદખાન નામના એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. આ મામલો રેલવે પ્રધાન સુરેશ પ્રભુ સુધી જતા તેમણે રેલવે પોલીસના ડીજીપીને તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં ‘રઈસ’ ફિલ્મના પ્રમોશન માટે રેલવેની કોઈ મંજુરી નહીં હોવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી રેલવે પોલીસે વડોદરા રેલવે પોલીસ સામે પોતાનો પક્ષ મુકવા શાહરુખાનને સમન્સ પાઠવી હાજર રહેવા જણાવ્યુ હતું.
Published at : 30 Mar 2017 12:06 PM (IST)
View More























