શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા ઉલ્ટા.....’શોમાં થશે દયાબેનની એન્ટ્રી! બાપૂજીની તબિયત બગડવાને કારણે જેઠાલાલ.....
જો શોમાં દયાબેનનની વાપસી થાય છે તો ગોકુલધામની સાથે-સાથે દર્શકોમાં પણ ખુશી જોવા મળે છે.
મુંબઈઃ ટીવીના સૌથી પોપ્યુલર શોમાંથી એક એવા તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જો બધુ ઠીક રહ્યું તો શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલ દયાબેન ફરી એક વખત ગોકુલધામમાં જોવા મળી શકે છે. વિતેલા થોડા દિવસથી એપિસોડમાં જેઠાલાલ સતત આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે દયાની ગેરહાજરીમાં તેનું જીવન ઠીક નથી ચાલી રહ્યું અને આખું ઘર અસ્ત વ્યસ્ત છે.
સુત્રો અનુસાર જેઠાલાલના પિતા એટલે ચંપક કાકની તબિયત ખૂબ ખરાબ થઇ જશે જે બાદ દયાબેનને અમદાવાદથી ગોકુલધામ પરત ફરવા મજબૂર થવું પડેશે. શોમાં બતાવવામાં આવશે કે ચંપક કાકાની તબિયત ખૂબ ખરાબ થઇ જાય છે અને જેઠાલાલને દયાબેનની ખોટ વર્તાય છે. જેઠાલાલ સ્થિતિની સામે પડી ભાંગે છે ત્યારે જ દયાબેનની એક વખત ફરીથી શોમાં એન્ટ્રી થઇ જશે. જેને જોઇ જેઠાલ લાલની ખુશીનું ઠેકાણું રહેતું નથી.
જો શોમાં દયાબેનનની વાપસી થાય છે તો ગોકુલધામની સાથે-સાથે દર્શકોમાં પણ ખુશી જોવા મળે છે. કારણકે ફેન્સ પણ ઘણા સમયથી દયાબેનની રાહ જોઇ રહ્યા છે.
જેઠાલાલ પહેલાથી જ ઘરની હાલતને લઇને ચિંતિત રહે છે એવામાં તેને બાઘાનો ફોન આવે છે. અને તે તેમના સપના અંગે કહે છે કે તેન સપનામાં દેખાયું કે બાપુજીની તબિયત ખૂબ ખરાબ થઇ ગઇ છે અને પથારીમાંથી ઉઠી શકતા નથી બાધાની વાત સાંભળીને જેઠાલાલ બાપુજીના રૂમમાં તેમની સાથે સૂઇ જવાનો નિર્ણય કરે છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે દયાબેનની શોમાં વાપસી થશે કે નહીં?
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement