શોધખોળ કરો

Tunisha Sharma suicide case: તુનિષા સુસાઇડ કેસના આરોપી શીઝાન ખાનને મળ્યા જામીન, 69 દિવસ બાદ આવશે જેલની બહાર

મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં કો-સ્ટાર શીઝાન ખાનને આરોપી કહેવામાં આવ્યો છે. જો કે, પોલીસની તપાસ છતાં આ કેસમાં અભિનેતા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા એકત્રિત કરી શકી નથી. આવી સ્થિતિમાં 69 દિવસ બાદ શીઝાન ખાનને જામીન મળી ગયા છે. મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે. આ કેસમાં શીઝાનની 26 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

શીઝાન જેલમાંથી બહાર આવશે

એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરડી દેશપાંડેએ ખાનને જામીન આપતાં એક લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ કરવાનો આદેશ આપ્યો છે. શીઝાન ખાનના વકીલ શરદ રાયે જણાવ્યું કે અભિનેતાને અનેક કારણોસર જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે.

વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે શીઝાનના જામીનમાં એક દિવસનો વિલંબ થયો હતો, કારણ કે અમે સાંજે 6.30 કે 7 વાગ્યા સુધીમાં પહોંચી જવાના હતા પરંતુ અમે પહોંચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં શીઝાનને એક દિવસ પછી જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપરાંત, અમારે લગભગ 5.30 વાગ્યા સુધીમાં થાણે જેલના બેલ બોક્સમાં કાગળો મૂકવાના છે પરંતુ અમારામાંથી કોઈ સમયસર પહોંચી શક્યું નહીં. હવે શીઝાન આવતીકાલે એટલે કે રવિવારે જેલમાંથી બહાર આવશે. વસઈ કોર્ટમાં જે ઔપચારિકતા હતી તે પૂરી થઈ ગઈ છે, જેમાં સમય લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બર 2022ના રોજ અભિનેત્રી તુનીષા શર્માએ વેનિટી વેનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બની ત્યારે તુનિષા ટીવી સેટ પર શૂટિંગ કરી રહી હતી. આ કેસમાં 28 વર્ષીય શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તુનીશાની માતાએ શીઝાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એ પણ ખુલાસો કર્યો હતો કે શીઝાને તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. અભિનેત્રી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. શીઝાન તુનીષા પર પણ હાથ ઉપાડતો હતો. તુનીષાની માતાએ કેસ નોંધાવ્યો હતો.

કોર્ટનો આદેશ છે કે શીઝાનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે અભિનેતા દેશ છોડી શકશે નહીં. જો તે કોઈ કામ માટે જાય તો પણ તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget