શોધખોળ કરો
Advertisement
સિંગર નેહા કક્કડ અને દિકરા આદિત્યના અફેર વિશે ઉદિત નારાયણે શું કહ્યું? જાણો
ઉદિત નારાયણે દીકરા આદિત્ય અને નેહાના રિલેશન અંગે પોતાના વિચારો જણાવ્યા હતા.
મુંબઈ: ઈન્ડિયન આઇડલ જજ નેહા કક્કડ અને આદિત્ય નારાયણના રિલેશનની વાતો ચર્ચાઇ રહી છે. ઉદિત નારાયણે દીકરા આદિત્ય અને નેહાના રિલેશન અંગે પોતાના વિચારો જણાવ્યા હતા.
ઉદિત નારાયણે કહ્યું નેહા કક્કડ ખૂબજ સારી છોકરી છે અને બહુ સરસ ગાય પણ છે. મને નેહા ગમે છે. માત્ર મને જ નહીં લોકોને પણ નેહા ગમે છે. નેહાએ ઈંડન્સ્ટ્રીમાં જાતે મહેનત કરીને પોતાની ઓળખ બનાવી છે.
ઉદિત નારાયણે નેહા અને આદિત્યની જોડી અંગે કહ્યું બંને એકબીજા સાથે જોડાઇ રહ્યાં છે પરંતુ આગળની મને ખબર નથી. ટીવી પર તો આ વાતો ચાલે છે પરંતુ મને નથી ખબર કે બંને લગ્ન કરી રહ્યાં છે. જો આમ થશે તો મને ખુશી થશે કે, મારા ફેમિલીમાં એક ફિમેલ સિંગર આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ઈન્ડિયન આઇડલ સીઝન 11 માં ગયા અઠવાડિયે એક એપિસોડમાં ઉદિત નારાયણ અને તેમની પત્ની ગેસ્ટ તરીકે આવ્યાં હતાં. આ સમયે દીપાએ પણ એમ કહ્યું કે, તેમનો દીકરો વારંવાર ઘરે નેહા વિશે વાતો કરે છે. તેની પાસેથી જ તેમને નેહાની સારી આદતો વિશે જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે, નેહા એક એવી છોકરી છે, જેને હંમેશાંથી એક વહુ તરીકે જોવા ઇચ્છતી હતી.
આ શોમાં નેહાએ આદિત્ય, ઉદિત અને દીપા નારાયણ સાથે એક ફેમિલી ફોટો પણ પડાવ્યો હતો. તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion