શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલા ઉપરાંત કોંગ્રેસના ક્યા 15 MLAને ખેંચી લાવવા BJP સક્રિય? જાણો કોણ કોણ અને કેમ જોડાઈ શકે BJPમાં?
1/7

કોંગ્રેસના વર્તમાન પંદર ધારાસભ્યો ઉપરાંત બીજા ત્રણ કોંગી ધારાસભ્યોને પણ ભગવો ખેસ પહેરાવવા ભાજપનું નેતૃત્વ આતુર છે, પણ એક યા બીજા કારણોસર ભાજપના પ્રયાસો નબળાં પડી રહ્યાં છે. સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષી અને ખેડબ્રહમાના અશ્વિન કોટવાલને ભાજપ ભજવો પહેરાવા તૈયાર છે. પરંતુ મતદારો મૂળે કોંગ્રેસના હોઈ આ લોકોને પોતાની તરફ ખેંચવા ભાજપ માટે અઘરું બની રહ્યું છે.
2/7

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને બોરસદના રાજેન્દ્રસિંહ પરમારના સમીકરણો જુદાં છે. આ બંને ધારાસભ્યોને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે બોલવાના પણ સંબંધ ના હોઈ તેઓ શંકરસિંહની અતિ નજીક ગયા છે. સૂત્રો કહે છે કે, સિનિયર નેતા રામસિંહ માટે ધારાસભ્યપદ કરતાં અમૂલ ડેરીનું ચેરમેનપદ મહત્ત્વનું છે, જ્યાં બોર્ડમાં મોટાભાગના કોંગ્રેસના આગેવાનો સામેલ છે.
Published at : 13 Jun 2017 01:01 PM (IST)
View More























