શોધખોળ કરો
ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રીલિઝ થવાને લઇને રાજપૂતોએ ભાજપ સરકારને શું આપી ચીમકી? જાણો
1/4

અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં ફાટી નીકળેલા તોફાનો મુદ્દે તેના પર આરોપો લાગ્યા છે તેવા રાજભા ઝાલાએ માંગ કરી હતી કે પોલીસે નિર્દોષ લોકોને જેલમાં પૂર્યા છે અને ખોટી કલમો લગાડી છે. સેટેલાઇટ અને વસ્ત્રાપુરના જે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે રાજપૂતો છે. આ મુદ્દે કરણીસેના સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીને મળીને રજૂઆત કરશે.
2/4

કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા ઝાલા સહિતના ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે, બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણશાલી રાજપૂત સમાજમાં ભાગલા પડાવવા માંગે છે. ફિલ્મ રીલિઝ થવા મુદ્દે કોઇ સમાધાન થયું નથી. ગુજરાતમાં ફિલ્મ રીલિઝ ન થવાની પણ માંગ છે. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા ઝાલાએ કહ્યું કે. ભાજપની બેવડી નીતિ રહી છે. ભાજપ શાસિત રાજ્યોમાં પદ્માવત ફિલ્મ પર નામ પુરતો જ પ્રતિબંધ છે જ્યારે અન્ય રાજ્યોમાં ફિલ્મ રીલિઝ કરાઇ છે. જો નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં પ્રતિબંધ મુક્યો હોત તો આ તોફાનો ના થયા હોત.
Published at : 04 Feb 2018 02:40 PM (IST)
View More























