શોધખોળ કરો
પાટીદારોને મનાવવા નરેન્દ્ર મોદી ક્યા ધાર્મિક સંપ્રદાયના કાર્યક્રમમાં આપશે હાજરી ? જાણો વિગત
1/5

સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વ્યાપક છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આ સંપ્રદાયની અસર વધારે છે તેથી મોટી તેમના કાર્યક્રમમાં હાજરી આપીને પાટીદારોનાં દિલ જીતવા પ્રયત્ન કરશે અને નારાજ પાટીદારોને ભાજપ તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે એવું મનાય છે.
2/5

ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં પાટીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અક્ષરધામના કાર્યક્રમમાં હાજરી આપીને મોદી પાટીદારો સાથેનો પોતાના ગાઢ સંબંધની યાદ તાજી કરવા માગે છે.
Published at : 19 Oct 2017 10:33 AM (IST)
Tags :
AksharDham TempleView More





















