શોધખોળ કરો
શંકરસિંહે બીજું વચન પણ તોડ્યું, રાજકીય પાર્ટી બનાવવા અરજી, જાણો કોને કર્યા આગળ ? પુત્ર મહેન્દ્રસિંહ શું કરશે ?
1/5

બીજી તરફ શંકરસિંહની પાર્ટીમાં તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા નહીં જોડાય. મહેન્દ્રસિહંનાં નજીકના વર્તુળોમાંથી મળતા નિર્દેશો મુજબ મહેન્દ્રસિંહ વાઘેલા દિવાળી પહેલા જ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેશે. રાજકારણમાં હવે કદાચ પિતા-પુત્ર સામસામી પાર્ટીમાં મોરચા માંડે તેવા પણ સંજોગો ઉભા થઈ શકે છે.
2/5

શંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહ વાઘેલા જન-વિકલ્પ મોરચાને હવે જન વિકલ્પ પાર્ટી તરીકે રાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારશે. રાજકીય પાર્ટી બનાવીને વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે. આ ઉપરાંત અન્ય નાના-મોટા પક્ષને સાથે લઇને જન વિકલ્પ મોરચાની રચના થશે.
Published at : 08 Oct 2017 10:24 AM (IST)
View More























